Ansuna Toran Paperback ? 1

400.00
મૃદંગની દોરી ખેંચવાથી એનો રણકાર વધતો જાય છે એમ રેણુ મનને જેમ જેમ ખેંચતી ગઈ તેમ તેમ હૃદયમાંથી વધુ તીવ્ર રણકાર નીકળવા લાગ્યો અને એ ચીમનને મળવા માટે નીકળી પડી. એ પોતાની જાતને રોકી ન શકી. રમકડાની મોટરને આપણી ઊલટી બાજુ ચાવી દેવી પડે છે એમ રેણુ મનને ચાવી દેતી અને માનતી હતી કે પોતે મનને મજબૂત બનાવી રહી છે. પણ જેવી એ ઘરની બહાર નીકળી કે એ ચાવી દીધેલી રમકડાની મોટરની જેમ બહુ જ ઝડપથી આગળ વધવા લાગી. રેણુ જાણે પોતાનું અસ્તિત્વ ભૂલી ગઈ હોય એમ ઝડપથી ચીમન તરફ ખેંચાવા લાગી. ઘણા લોકો સાધુ-સંન્યાસી કે યોગીપુરુષો પાસે ચમત્કારની આશા રાખે છે. ચમત્કારમાં માને છે. પણ એમને ભાન નથી કે આ દુનિયામાં પ્રેમથી મહાન બીજો કોઈ ચમત્કાર નથી. લોખંડના ટુકડામાંથી સોનું બની જાય એ ચમત્કાર છે પણ લોખંડ જેવું કઠોર હૈયું પ્રેમને લીધે મલમલ જેવું મુલાયમ બની જાય એ એના કરતાં મહાન ચમત્કાર છે.

ARVACHIN GUJARATI SAHITYANI VIK

400.00
ARVACHIN GUJARATI SAHITYANI VIKASREKHA-4 (GANDHIYUG ANE ANUGANDHIYUG) Hardcover by DHIRUBHAI THAKAR (Author)

Shabdarthkosh (Gujarati-Gujarat

400.00
Shabdarthkosh (Gujarati-Gujarati-Angreji) Hardcover ? 1 January 2015 by Manoj Daru (Author)

Karnani Aatmakatha Hardcover

400.00
કર્ણ એટલે કોણ? મહારથી....દાનેશ્વરી કે જન્મથી જીવનના અંતિમ તબક્કા સુધી તરછોડાયું એવું પાત્ર જે આજીવન પોતાના અસ્તિત્વની શોધમાં ભટકાય કરતું હતું. કર્ણ પાસે કૌવત હતું પણ કુળ નહોતું. કર્ણનો જન્મ માત્ર કુંતિની જિજ્ઞાસા અને બાલિશતાના પરિણામ સ્વરૂપે થયો હતો. મહાભારતને માત્ર કથા તરીકે જોઈએ તો જો કુંતિએ ઘેલછા રાખીને મંત્રપ્રયોગ ન કર્યો હોત તો દુનિયાને આવો વીર અને દાનેશ્વરી પુરુષ સાંપડ્યો જ ન હોત. સૂર્યનું તેજ અને ઓજસ લઈને જન્મલો કર્ણ પોતાની શક્તિઓને સિદ્ધ કરવા માગતો હતો પણ તે સારથિપુત્ર હતો. પાંડવો અને કૌરવોની વિદ્યાપૂર્તિ બાદ રખાયેલી કસોટીમાં કર્ણનો પ્રવેશ અને અર્જુનને હંફાવવો એ માત્ર સંકેત હતો કે અર્જુન કરતાં પણ મહાન પાત્રો આ વિશ્વમાં છે. પહેલાં એકલવ્ય હતો, જેને અર્જુનના ગુરુએ વામણો કરી નાખ્યો. જીવનની સંધ્યાએ પોતાના મિત્રના શત્રુઓની માતાના મુખે તેને સત્ય જામવા મળે છે કે કોઈ વિકલ્પ જ નહોતો. તે કુંતિને માત્ર એટલું જ કહે છે, તારા પાંચ પુત્રો કાયમ જીવતા રહેશે. કૃષ્ણ આ વાતનો મર્મ જાણતા હતા અને તેમણે અંતે કર્ણનો જ ભોગ લેવાય તેવી સ્થિતિનું નિર્માણ કર્યું હતું. કર્ણ દાનેશ્વરી હતો, દયાળુ હતો અને સારી બાબતોને સાથ આપનાર હતો છતાં તે ખોટા પક્ષે હતો. ધર્મયુદ્ધમાં તેનો પક્ષ તેના મૃત્યુનું કારણ બન્યો હતો.­­­. by Manu Sharma (Author), Ekta Ravi Bhatt (Translator)

Tarasyo Sangam Hardcover by Har

400.00
Tarasyo Sangam Hardcover ? 1 January 2014 Vansh Varash - 1,2,3 Hardcover ? 1 January 1993

Rangkapat Paperback ? 28 Februa

400.00
Rangkapat Paperback ? 28 February 2021 by Parth Nanavati (Author)

Chahera Pachhalno Chahero Paper

400.00
એક સુપરસ્ટારની જિંદગી પર પીએચ.ડી. કરવા નીકળેલો યુવાન સપડાય છે એક થ્રિલરમાં. અંડરવર્લ્ડ ડોન અને ફિલ્મ સ્ટાર દીકરીની વચ્ચેના વમળમાં અટવાતા એક ગુજરાતી યુવાનની જિંદગીમાં આવતા ઉતાર-ચડાવની કથા.

Sita: Mithilani Virangna Paperb

400.00
Sita: Mithilani Virangna Paperback ? 1 January 2017

Raavan – Aaryavrtno Ari (

400.00
Now in Gujarati અંધકાર વિના પ્રકાશનો ઉદ્દેશ્ય શું હોઈ શકે ? ભગવાનો પણ પ્રતિનાયકો વિના શું કરી શકે ? 3400 ઈસાપૂર્વ, ભારત. નિર્ધનતા અને અરાજક્તાથી પ્રક્ષુબ્ધ દેશ. મોટાભાગના લોકો ચૂપચાપ પીડાય. અમુક બળવો પણ કરે. કેટલાક ઉત્તમ જગત માટે લડી લે, તો કેટલાક પોતાના માટે. મોટાભાગના લોકો જોકે ઉદાસીન છે. રાવણ એ સમયના સૌથી જ્ઞાની ઋષિઓમાંના એકનું સંતાન, જે અત્યંત બુદ્ધિશાળી અને પ્રતિભાવાન છે. પરંતુ દુર્ભાગ્ય તેની આકરી પરીક્ષા લેતું જ રહે છે. કિશોરવસ્થામાં સફળ ચાંચિયો બનેલા રાવણમાં શૂરવીરતા, ક્રૂરતા અને દ્વઢ નિર્ધારના ગુણો છે. તેનો નિર્ધાર છે સૌથી શક્તિશાળી અને મહાન વિજેતા બનવાનો, કારણ કે એ તો અધિકાર છે. વિરોધાભાસી વ્યક્તિત્વવાળો રાવણ ઘાતકી અને હિંસક હોવાની સાથેસાથે જ્ઞાની અને બુદ્ધિશાળી પણ છે. એ કોઈ જ અપેક્ષા વિના પ્રેમ કરે છે અને પસ્તાવા વિના હત્યા પણ. ‘રામ ચંદ્ર શ્રેણી’ ના ત્રીજા પુસ્તકમાં લંકાના રાજા રાવણની અને તેના અંધારિયા મનના ઊંડાણની વાત છે. શું એ માનવજાતનો સૌથી મોટો પ્રતિનાયક છે કે પછી સદાય અંધારા ઊંડાણમાં ગર્ત એક સામાન્ય માનવી છે? માનવજાતના સૌથી સંકુલ, હિંસક, જોશીલા અને જ્ઞાનીપુરુષની કથા એટલે ’રાવણ - આર્યવર્તનો અરિ’.