Liludi Dharti (Set of 2 Books)
Saat Pagala Aakashma Hardcover
Ansuna Toran Paperback ? 1
મૃદંગની દોરી ખેંચવાથી એનો રણકાર વધતો જાય છે એમ રેણુ મનને જેમ જેમ ખેંચતી ગઈ તેમ તેમ હૃદયમાંથી વધુ તીવ્ર રણકાર નીકળવા લાગ્યો અને એ ચીમનને મળવા માટે નીકળી પડી. એ પોતાની જાતને રોકી ન શકી. રમકડાની મોટરને આપણી ઊલટી બાજુ ચાવી દેવી પડે છે એમ રેણુ મનને ચાવી દેતી અને માનતી હતી કે પોતે મનને મજબૂત બનાવી રહી છે. પણ જેવી એ ઘરની બહાર નીકળી કે એ ચાવી દીધેલી રમકડાની મોટરની જેમ બહુ જ ઝડપથી આગળ વધવા લાગી. રેણુ જાણે પોતાનું અસ્તિત્વ ભૂલી ગઈ હોય એમ ઝડપથી ચીમન તરફ ખેંચાવા લાગી. ઘણા લોકો સાધુ-સંન્યાસી કે યોગીપુરુષો પાસે ચમત્કારની આશા રાખે છે. ચમત્કારમાં માને છે. પણ એમને ભાન નથી કે આ દુનિયામાં પ્રેમથી મહાન બીજો કોઈ ચમત્કાર નથી. લોખંડના ટુકડામાંથી સોનું બની જાય એ ચમત્કાર છે પણ લોખંડ જેવું કઠોર હૈયું પ્રેમને લીધે મલમલ જેવું મુલાયમ બની જાય એ એના કરતાં મહાન ચમત્કાર છે.
Chahera Pachhalno Chahero Paper
Raavan – Aaryavrtno Ari (
Now in Gujarati
અંધકાર વિના પ્રકાશનો ઉદ્દેશ્ય શું હોઈ શકે ? ભગવાનો પણ પ્રતિનાયકો વિના શું કરી શકે ? 3400 ઈસાપૂર્વ, ભારત. નિર્ધનતા અને અરાજક્તાથી પ્રક્ષુબ્ધ દેશ. મોટાભાગના લોકો ચૂપચાપ પીડાય. અમુક બળવો પણ કરે. કેટલાક ઉત્તમ જગત માટે લડી લે, તો કેટલાક પોતાના માટે. મોટાભાગના લોકો જોકે ઉદાસીન છે. રાવણ એ સમયના સૌથી જ્ઞાની ઋષિઓમાંના એકનું સંતાન, જે અત્યંત બુદ્ધિશાળી અને પ્રતિભાવાન છે. પરંતુ દુર્ભાગ્ય તેની આકરી પરીક્ષા લેતું જ રહે છે. કિશોરવસ્થામાં સફળ ચાંચિયો બનેલા રાવણમાં શૂરવીરતા, ક્રૂરતા અને દ્વઢ નિર્ધારના ગુણો છે. તેનો નિર્ધાર છે સૌથી શક્તિશાળી અને મહાન વિજેતા બનવાનો, કારણ કે એ તો અધિકાર છે. વિરોધાભાસી વ્યક્તિત્વવાળો રાવણ ઘાતકી અને હિંસક હોવાની સાથેસાથે જ્ઞાની અને બુદ્ધિશાળી પણ છે. એ કોઈ જ અપેક્ષા વિના પ્રેમ કરે છે અને પસ્તાવા વિના હત્યા પણ. ‘રામ ચંદ્ર શ્રેણી’ ના ત્રીજા પુસ્તકમાં લંકાના રાજા રાવણની અને તેના અંધારિયા મનના ઊંડાણની વાત છે. શું એ માનવજાતનો સૌથી મોટો પ્રતિનાયક છે કે પછી સદાય અંધારા ઊંડાણમાં ગર્ત એક સામાન્ય માનવી છે? માનવજાતના સૌથી સંકુલ, હિંસક, જોશીલા અને જ્ઞાનીપુરુષની કથા એટલે ’રાવણ - આર્યવર્તનો અરિ’.
Ram – Ikshvakuna Vanshaj
Now in Gujarati
રામરાજ્ય. આદર્શ ભૂમિ. પરંતુ પરિપૂર્ણતાની કિંમત ચૂકવવી પડે છે. તેમણે એ કિંમત ચૂકવી છે. 3400 ઈસાપૂર્વ, ભારત. અયોધ્યા વિભાજનોથી નબળું પડી ગયું છે. એક ભયંકર યુદ્ધથી કિંમત તે ચૂકવી રહ્યું છે. નુકસાન બહુ મોટું થયું છે. લંકાના રાક્ષસ રાજા રાવણ પરાજિતો પર પોતાનુ સામ્રાજ્ય નથી સ્થાપતા. તેના બદલે તે ત્યાં પોતાનો વેપાર સ્થાપી દે છે. આખા સામ્રાજ્યમાંથી ધન ચૂસી લેવામાં આવે છે. સપ્તસિંધુની પ્રજા ગરીબી, હતાશા ને દુરાચરણમાં ગરકાવ થઈ ગઈ છે. તે પ્રજા એક એવા નાયક માટે વલખે છે કે જે તેમને આ કળણમાંથી બહાર કાઢે. તેમને ક્યાં જાણ છે કે એવો એક નાયક તેમની વચ્ચે જ રહેલો છે જેને તે બધા લોકો જાણે છે. એક સંતપ્ત અને દેશનિકાલ પામેલો રાજકુમાર. એવો રાજકુમાર જેનો તેમણે વિરોધ કર્યો હતો. એ રાજુકુમાર કે જેનું નામ હતું રામ. દેશવાસીઓએ તેમને સતપ્ત કર્યા હોવા છતાં તેઓ પોતના દશને ચાહે છે. ન્યાય માટે તેઓ એકલા જ લડતા રહે છે. અંધકારની અંધાધૂંધી સામે, પોતાના ભાઈઓ અને પત્ની સીતાના સથવારે, તેઓ લડતા રહે છે. શું લોકોએ તેમના પર લગાવેલા લાંછનને રામ દૂર કરી શકશે? શું સીતા માટેના તેમના પ્રેમને કારણે તે આ સંઘર્ષમાંથી પાર ઊતરશે? શું પોતાના બાળપણને બગાડનારા રાક્ષસ રાજા રાવણને તેઓ પરાજિત કરી શકશે? શું વિષ્ણુની નિયતિને તેઓ પૂર્ણ કરશે? અમીશ સાથે આ નવી મહામુસાફરીનો પ્રારંભ કરો ‘રામ ચંદ્ર શ્રેણીમાં..
Mummy Pappa Paperback by Jay Va
આજના બાળકો-યુવાનોની વય અનુસાર એકાદ સંહિતા પ્રાપ્ત થાય – એવી કદાચ અસ્તિત્વની માંગ હશે. એ વાત જયભાઈને ચિત્તમાં ઝીલાઈ અને પુસ્તક રૂપે પ્રગટે છે, એને હું નંદ ઘેર આનંદ ભયોને બદલે આનંદ (કૃષ્ણ) ઘેર જશોદાનંદ ભયો એમ માનવા પ્રેરાઉ છું. અકળતા અથવા તો દિશાશૂન્ય સ્થિતિમાં અથડાતા બાળકો – યુવાનો આ ગ્રંથ સાથે યાત્રા કરશે તો પાછા માતા-પિતાની છાયા અને માયાનો અનુભવ કરશે એવી શ્રદ્ધા સ્વસ્થાને છે. પુનઃ એક વાર મારી ખૂબ જ પ્રસન્નતા અને ખૂબ પ્રાર્થના !