Aa Taari Varta Nathi -This is N
21mi Sadino Vyavsay (Rich Dad)
Doctor ni Diary Vol – 9 H
ર્ડા. શરદભાઈ છેલ્લાં 21-21 વરસથી લખતા રહ્યા છે. આ એકવીસ વરસમાં જમાનાએ ડબલ યુ-ટર્ન મારી લીધા છે. બોલપેન હવે પેન ડ્રાઈવમાં પરિવર્તિત થઈ ગઈ છે. અને ગુલાબી પત્રો હવે એસ.એમ.એસ. બની ગયા છે. એક આખેઆખો યુગ આથમી ગયો છે, પણ ર્ડા. શરદ ઠાકર યુગ નથી આથમ્યો. એક જમાનામાં યુવાનો સ્ટ્રીટ લાઈટના અજવાળામાં ટોળે વળીને રવિવારની સવારે ઓલરેડી વંચાઈ ગયેલા ‘ગુલાબ’ ની સુગંદ ફરી વાર સમૂહમાં માણતા હતા. આજે લાખો યુવાનો-યુવતીઓ એ જ સુગંધ ઇન્ટરનેટ ઉપર માણતા રહે છે. ‘ ર્ડા. ની ડાયરી’ આજે પણ ગુજરાતના હજારો વિદ્યાર્થીઓને સાચા અને સારા ર્ડાક્ટર બનવાની પ્રેરણા પૂરી પાડે છે. આજેય હજારો યુવતીઓ ‘રણમાં ખીલ્યું ગુલાબ’ વાંચવા માટે જીવે છે અને પ્રેમમાં નાસીપાસ થયેલી સેંકડો યુવતીઓ ર્ડા. શરદના એક ટેલિફોનિક આશ્વસન પછી આત્મહત્યા કરવાનું માંડી વાળે છે. કારણ? કારણ માત્ર એ જ કે ર્ડા. શરદ ઠાકર માત્ર કલમથી નથી લખતા, પણ કસબથી લખે છે ; દિમાગથી નહીં, દિલથી લખે છે; માત્ર પારદર્શક જ નથી લખતા, ધારદર્શક પણ લખે છે. ર્ડા. શરદ ઠાકરને વાંચીને એક આખી પેઢી મોટી થઈ ગઈ છે અને આજે બીજી પેઢી જુવાન થઈ રહી છે. એમને વાંચવા માટે કેટલા લોકો પાગલ છે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. સ્વ. સુરેશ દલાલની આ પંક્તિઓ સહેજ ફેરફાર સાથે ટાંકું છું. શરદભાઈને મારે કહેવું છે : પૂછતા નહીં કેટલા પાગલ, કેટાલ પાગલ ! આભમાં જો ને જેટલાં વાદળ, એટલા પાગલ. ર્ડા. શરદભાઈની આ વિકારપ્રૂફ વાર્તાઓને આપણે અભિનંદનના અક્ષત લઈને, કૃતજ્ઞાતાનું તિલક કરીને હાથ, હૈયું અને મસ્તક વડે સ્વાગત કરીએ.
Sapnana Sodagar Paperback by R
‘સપનાનાં સોદાગરો’ એટલે એવા વીસ આદર્શવાદી વીરલાઓની જીવનગાથાઓ, કે જેમણે ઉદ્યોગસાહસિકતા અને સમાજસેવાને પરસ્પર વિરોધી તરીકે નહીં, પરંતુ એકમેકના પર્યાય તરીકે માનીને દેશના પાયાના પ્રશ્નોનું નિરાકરણ કરવાની કોશિશ કરી. મેનેજમેન્ટના નિયમો ફક્ત ‘પોથીમાંના રીંગણા’ નથી, તે સાબિત કરવાની કમર કસી છે. આ પુસ્તક વાંચનારને એક બાબત તો ચોક્કસ સમજાશે. પરિસ્થિતિમાં બદલાવ લાવવા માટે એકાદ અણ્ણા હજારે પણ પૂરતા છે અને એ વ્યક્તિ કદાચ તમે પણ હોઈ શકો!
by Rashmi Bansal (Author), Sonal Modi (Translator)
Aghor Nagara Vage Vol – 2
શ્રી મોહનલાલ અગ્રવાલનું મૂળ વતન ઉત્તર પ્રદેશનું મેરઠ ગામ, એમનું જન્મસ્થળ અને કાર્યક્ષેત્ર સુરેન્દ્રનગર. શ્રી અગ્રવાલ વિજ્ઞાનના સ્નાતક છે, સંગીત, લેખન, પ્રાચીન સંસ્કૃતિનાં સંશોધનો, હથિયારો તેમજ ઈતિહાસ અને આયુર્વેદ એમનો પ્રિય અને રસનો વિષય છે. એમણે ‘અઘોર નગારાં વાગે’ પુસ્તકમાં ભારતની સાધુશાહી સંસ્કૃતિનો તલસ્પર્શી ઉલ્લેખ કર્યો છે. હાલ તેઓ આયુર્વેદના તેમજ પ્રાચીન રસકલા, ધાતુવિદ્યાનાં સંશોધનો કરી રહ્યા છે અને એનો સંગ્રહ કરી જનહિતાર્થે પ્રગટ કરી રહ્યા છે.
by Mohanlal Agrawal (Author)
Ek Panth Ne Do Kaaj Paperback
by Rashmi Bansal (Author), Sonal Modi (Translator)
‘એક પંથ ને દો કાજ’ (Arise Awake) એટલે વિદ્યાર્થીકાળમાં જ ધંધાનું સાહસ ખેડનાર દસ યુવાનોની ગાથા. ગ્રેજ્યુએશન પહેલાં કે પછી નોકરી મેળવવાની દોટ કાઢ્યા વગર પોતાનાં સ્વપ્ના સાકાર કરવા મંડી પડનાર વીરલાઓની અત્યંત પ્રેરણાત્મક કહાણીઓ. આ પુસ્તક હાથમાં લેતાં જ તમને સમજાઈ જશે કે ધંધાને ઉંમર કે ભણતર સાથે ખાસ લેવાદેવા નથી. એને માટે તો જોઈએ ધગશ, ભારોભાર હિંમત, એક નવો આઈડિયા અને ઈન્ટરનેટ. તમારી હોસ્ટેલનો રૂમ પણ તમારી ઓફિસ બની શકે. રશ્મિ બંસલના અંગ્રેજી પુસ્તકનો સોનલ મોદીની અત્યંત રસાળ શૈલીમાં ગુજરાતી ભાવાનુવાદ એટલે ‘એક પંથ ને દો કાજ.’ તમે પણ ‘સ્ટાર્ટ અપ’ ક્ષેત્રે પગરણ માંડવા ઈચ્છો? તો જરૂર વસાવવા જેવું પુસ્તક.
Samjan Ekbijani Paperback
જિંદગીના દાખલામાં રીતના માર્ક બધાને મળે જ છે, પણ તાળો મળે ત્યારે જ દાખલો સાચો કહેવાય છે...કેટલાકની જિંદગીમાં તાળો મેળવવાનો સમય વીતી જતો હોય છે, તો કેટલાકને પોતાની ભૂલ એવા સમયે સમજાય છે જ્યાં દાખલો ફરીથી ગણવાની તક હજી બાજી હોય છે.... ‘એકબીજાને ગમતા રહીએ’ એ એક એવી કોલમ છે. જ્યાં દાખલાની રીત વિશે ચર્ચા કરવાને બદલે સાચો તાળો મેળવવાનો નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરવાનું મેં નક્કી કર્યું છે. !