Badapanana Vanarveda Paperback
ગાડી સ્ટેશન આગળ અટકી. બગલમાં પોટલું મારી કેશુભાઈની પાછળ ચાલ્યો. જોઉં છું તો બે મિત્રો મને વળાવવા આવેલા. ભાયલો અને ધમલો. અમે ડબ્બામાં બેઠા. મેં પોટલું છોડ્યું અને અંદરથી બે ભમરડા કાઢ્યા. હાથ લંબાવી મારા મિત્રોને મેં ભેટ આપી દીધા. મારો વિચાર ભમરડા અમદાવાદ લઈ જવાનો હતો. મિત્રોને જોઈ એ વિચાર માંડી વાળ્યો. ધમલાની પાછળ રાતડો ઊભો હતો. એ પણ કંઈ સંદેશા પાઠવતો હતો. સીટી વાગી. રાતકે રુદન શરૂ કર્યું. ધમલે અને ભાયલે હાથ ઊંચા કર્યા. ધીમે ધીમે ટ્રેન ઊપડી. ડબ્બાની બારીની બહાર હું ડોકું કાઢી ઊભો રહ્યો દૂરથી જ્યારે મિત્રો દેખાતા બંધ થયા હતા ત્યારે ઝીણો અવાજ આવ્યો. ‘વજિયા...આવજે...’
. by Vaju Kotak (Author)
Babasaheb Ambadker Jivan ane Ka
Meghdhanushi Manunio Paperback
મીના બિંદ્રા સફળ થયાં. જસુ શિલ્પીએ પૂતળાંમાં ય પ્રાણ પૂર્યો. નીના લેખીએ પોતાનું ભાગ્ય ખુદ લખ્યું.... ‘મેઘધનુષી માનુનીઓ’ એટલે હિંમતપૂર્વક પડકાર ઉઠાવનાર પચીસ સબળ સ્ત્રીઓની અત્યંત મનનીય જીવનકથાઓ! આ માનુનીઓએ બાળકોને તથા કંપનીને સાથે જ જન્મ આપ્યો, પાળ્યાં અને પોષ્યાં. બંનેની પ્રેમ, સ્મિત અને ધૈયપૂર્વક માવજત કરીને આ મહિલાઓએ તલવારની ધારે ચાલી જ નહિ, દોડી બતાવ્યું છે. આ કહાણીઓ વાંચીને તમને લાગશે જ, કે સ્ત્રીઓની વિચારસરણી જરા ‘હકટે’ હોય છે. ખુદ્દારીપૂર્વક સંજોગોનો સામનો કરીને તે એવું કામ કરે છે, કે સફળતા તેમના કદમ ચૂમતી આવે છે. સફળતાની તમારી વ્યાખ્યા શી છે? આ પુસ્તક વાંચીને જ નક્કી કરો ને! રશ્મિ બંસલના બેસ્ટસેલર Every Rainbow નો સોનલ મોદી દ્વારા અત્યંત પ્રવાહી તથા સરળ શૈલીમાં થયેલ અનુવાદ ‘મેઘધનુષી માનુનીઓ’ માત્ર સ્ત્રીઓ જ નહિ, પુરુષો માટે પણ પ્રેરણારૂપ છે.
by Rashmi Bansal (Author), Sonal Modi (Translator)
Sambhalo Chho Ke Shriman ? Hard
Athashree Paperback by Jignesh
શું કર્ણને પ્રથમ પાંડવ કહી શકાય? જો હા તો કયા તર્કને આધારે? સીતાજી રાવણ સાથે વાત કરતી વખતે હાથમાં તણખલું કેમ રાખતાં હતાં? રામાયણના કયા સંસ્કરણમાં સીતાજી મંદોદરીની દીકરી છે? રામાયણમાં ઉપયોગમાં લેવાયેલા શસ્ત્રોના વિવિધ પ્રકારો અને તેમના અર્થ શું છે? હિડિંબા ભીમ સાથે લગ્ન પછી ક્યારેય ઇન્દ્રપ્રસ્થ ગઈ હતી ખરી? રાવણના મૃત્યુ પછી શૂર્પણખાનું શું થયું? શ્રીરામે સુગ્રીવને બદલે વાલીની મદદ કેમ ન લીધી? રામાયણ અને મહાભારત બંનેમાં હોય એવા પાત્રો કેટલાં? મહાભારતના યુદ્ધ સાથે સંકળાયેલી બર્બરિકની કથા શું છે? ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રનો અર્થ શું? ગુજરાતીમાં લખાયેલા અને ભૂલાઈ ગયેલ રામાયણ કેટલાં? મહારાજ જનક રામાયણ કરતાં કેમ મહાભારતમાં વધારે ઉલ્લેખ પામે છે? આ અને આવા અનેક પ્રશ્નોના જવાબ જિજ્ઞેશ અધ્યારૂના આ પુસ્તકમાં વિગતે અપાયાં છે. રામાયણ, મહાભારત અને વેદ તથા પુરાણોની કથાઓમાંથી શોધીને આવા મોતી તેઓ પ્રસ્તુત કરે છે.
by Jignesh Adhyaru (Author)