નીરજા ભાર્ગ
નીરજા ભાર્ગવ (Nirja Bhargav) Hardcover by Ashwini bhatt
'નીરજા ભાર્ગવ' પુસ્તક એક નીરજા ભાર્ગવ પર લખાયેલી નવલકથા છે. સંમોહક આખો અને ભર્યા ભર્યા માંસલ દેહવાળી એક ઓરત.... ટ્રેનમાંથી ભાગીને રાજગઢ સ્ટેશનના એસ.એમ.નું બારણું ખટખટાવે છે. તેના ટકોરમાં ભય છે... પારવાર ભય....રીટાયર્ડ બ્રિટિશ કર્નલની અદાથી જવાન ઉમરે પણ હુક્કો ગડગડાવીને રહેતો સ્ટેશન માસ્તર ચેતન બળી બારણે આવે છે અને ફફડતી, મીડી સ્કર્ટ અને ચુસ્ત ટોપ પહેરીને ઉભેલી યુવતીને જુએ છે."મને સંતાડી દો....પ્લીઝ....એ લોકો મને મારી નાખશે." એ વાક્ય પૂરું કરતા પહેલા તો તે અંદર કમરમાં સરી આવે છે, બારણું બંધ કરી દે છે. રાજગઢના નાનકડા સ્ટેશન પર આનંદથી જીવન વિતાવતા ચેતન બાલીના કવાર્ટર્સમાં આવી પડેલી એ ખુબસુરત ચિનગારીમાંથી અરવલ્લીની પહાડીઓમાં ફેલાતો મહાનલ આ નવલકથા છે.
Just Ek Minute Vol – 1 Ha
Mummy Pappa Paperback by Jay Va
આજના બાળકો-યુવાનોની વય અનુસાર એકાદ સંહિતા પ્રાપ્ત થાય – એવી કદાચ અસ્તિત્વની માંગ હશે. એ વાત જયભાઈને ચિત્તમાં ઝીલાઈ અને પુસ્તક રૂપે પ્રગટે છે, એને હું નંદ ઘેર આનંદ ભયોને બદલે આનંદ (કૃષ્ણ) ઘેર જશોદાનંદ ભયો એમ માનવા પ્રેરાઉ છું. અકળતા અથવા તો દિશાશૂન્ય સ્થિતિમાં અથડાતા બાળકો – યુવાનો આ ગ્રંથ સાથે યાત્રા કરશે તો પાછા માતા-પિતાની છાયા અને માયાનો અનુભવ કરશે એવી શ્રદ્ધા સ્વસ્થાને છે. પુનઃ એક વાર મારી ખૂબ જ પ્રસન્નતા અને ખૂબ પ્રાર્થના !
KRISHNAVTAR-2 : KHAND 3-4 by R
Kittee Parteenun Kamthan Hardco
Shailaja sagar Hardcover by Ash
નીલા સ્વિમિંગ પુલમાં સરતી સીનેરી બદનાવાળી 'શૈલજા સાગર' સાગરમહાલની સામ્રાજ્ઞી છે. ભૌતિક-માનસિક સુખ માટેની તમામ આવશ્યકતાઓ ધરાવતું એ મ્હાલ્ય ધનાઢ્ય સાગરકુટુંબનું નિવાસસ્થાન છે. સ્વીમીંગ પુલમાં તરતી ઇન્ફ્લેતેદ મેટ્રેસ પર ફોન રણકે છે-એ ઘંટડીઓના રણકાર સાથે શયતાનનું સરસંધાન થયું હોય તેમ શૈલજાના જીવનમાં ધરતીકંપ ઊઠે છે.બહેન સમી પ્રેમના પતિ ઇન્દ્રજિતને કંઈક જીઈએ છે... એક સામાન્ય ઘટનામાંથી ખડા થતા અસામાન્ય પ્રસંગની આ કથા શૈલજા -સંજીવ, પ્રેમા-ઇન્દ્રજિતને એક એવી આલમમાં ઘસડી જાય છે જીવવા માટે પિસ્તોલ ચલાવવી પડે. આ પુસ્તક માં આવી રીતે કાલ્પનિક નવલકથા આપી છે પણ તે વાચી ને બહુ જ આંનદ ને જીવત નો અનુભવ થાઇ છે.
Doctor ni Diary Vol – 9 H
ર્ડા. શરદભાઈ છેલ્લાં 21-21 વરસથી લખતા રહ્યા છે. આ એકવીસ વરસમાં જમાનાએ ડબલ યુ-ટર્ન મારી લીધા છે. બોલપેન હવે પેન ડ્રાઈવમાં પરિવર્તિત થઈ ગઈ છે. અને ગુલાબી પત્રો હવે એસ.એમ.એસ. બની ગયા છે. એક આખેઆખો યુગ આથમી ગયો છે, પણ ર્ડા. શરદ ઠાકર યુગ નથી આથમ્યો. એક જમાનામાં યુવાનો સ્ટ્રીટ લાઈટના અજવાળામાં ટોળે વળીને રવિવારની સવારે ઓલરેડી વંચાઈ ગયેલા ‘ગુલાબ’ ની સુગંદ ફરી વાર સમૂહમાં માણતા હતા. આજે લાખો યુવાનો-યુવતીઓ એ જ સુગંધ ઇન્ટરનેટ ઉપર માણતા રહે છે. ‘ ર્ડા. ની ડાયરી’ આજે પણ ગુજરાતના હજારો વિદ્યાર્થીઓને સાચા અને સારા ર્ડાક્ટર બનવાની પ્રેરણા પૂરી પાડે છે. આજેય હજારો યુવતીઓ ‘રણમાં ખીલ્યું ગુલાબ’ વાંચવા માટે જીવે છે અને પ્રેમમાં નાસીપાસ થયેલી સેંકડો યુવતીઓ ર્ડા. શરદના એક ટેલિફોનિક આશ્વસન પછી આત્મહત્યા કરવાનું માંડી વાળે છે. કારણ? કારણ માત્ર એ જ કે ર્ડા. શરદ ઠાકર માત્ર કલમથી નથી લખતા, પણ કસબથી લખે છે ; દિમાગથી નહીં, દિલથી લખે છે; માત્ર પારદર્શક જ નથી લખતા, ધારદર્શક પણ લખે છે. ર્ડા. શરદ ઠાકરને વાંચીને એક આખી પેઢી મોટી થઈ ગઈ છે અને આજે બીજી પેઢી જુવાન થઈ રહી છે. એમને વાંચવા માટે કેટલા લોકો પાગલ છે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. સ્વ. સુરેશ દલાલની આ પંક્તિઓ સહેજ ફેરફાર સાથે ટાંકું છું. શરદભાઈને મારે કહેવું છે : પૂછતા નહીં કેટલા પાગલ, કેટાલ પાગલ ! આભમાં જો ને જેટલાં વાદળ, એટલા પાગલ. ર્ડા. શરદભાઈની આ વિકારપ્રૂફ વાર્તાઓને આપણે અભિનંદનના અક્ષત લઈને, કૃતજ્ઞાતાનું તિલક કરીને હાથ, હૈયું અને મસ્તક વડે સ્વાગત કરીએ.