Karnani Aatmakatha Hardcover
કર્ણ એટલે કોણ? મહારથી....દાનેશ્વરી કે જન્મથી જીવનના અંતિમ તબક્કા સુધી તરછોડાયું એવું પાત્ર જે આજીવન પોતાના અસ્તિત્વની શોધમાં ભટકાય કરતું હતું. કર્ણ પાસે કૌવત હતું પણ કુળ નહોતું. કર્ણનો જન્મ માત્ર કુંતિની જિજ્ઞાસા અને બાલિશતાના પરિણામ સ્વરૂપે થયો હતો. મહાભારતને માત્ર કથા તરીકે જોઈએ તો જો કુંતિએ ઘેલછા રાખીને મંત્રપ્રયોગ ન કર્યો હોત તો દુનિયાને આવો વીર અને દાનેશ્વરી પુરુષ સાંપડ્યો જ ન હોત. સૂર્યનું તેજ અને ઓજસ લઈને જન્મલો કર્ણ પોતાની શક્તિઓને સિદ્ધ કરવા માગતો હતો પણ તે સારથિપુત્ર હતો. પાંડવો અને કૌરવોની વિદ્યાપૂર્તિ બાદ રખાયેલી કસોટીમાં કર્ણનો પ્રવેશ અને અર્જુનને હંફાવવો એ માત્ર સંકેત હતો કે અર્જુન કરતાં પણ મહાન પાત્રો આ વિશ્વમાં છે. પહેલાં એકલવ્ય હતો, જેને અર્જુનના ગુરુએ વામણો કરી નાખ્યો. જીવનની સંધ્યાએ પોતાના મિત્રના શત્રુઓની માતાના મુખે તેને સત્ય જામવા મળે છે કે કોઈ વિકલ્પ જ નહોતો. તે કુંતિને માત્ર એટલું જ કહે છે, તારા પાંચ પુત્રો કાયમ જીવતા રહેશે. કૃષ્ણ આ વાતનો મર્મ જાણતા હતા અને તેમણે અંતે કર્ણનો જ ભોગ લેવાય તેવી સ્થિતિનું નિર્માણ કર્યું હતું. કર્ણ દાનેશ્વરી હતો, દયાળુ હતો અને સારી બાબતોને સાથ આપનાર હતો છતાં તે ખોટા પક્ષે હતો. ધર્મયુદ્ધમાં તેનો પક્ષ તેના મૃત્યુનું કારણ બન્યો હતો..
by Manu Sharma (Author), Ekta Ravi Bhatt (Translator)
Krushnapurvak Paperback by Anki
ભાગદોડવાળી જિંદગીનો થાક તમારા તન-મન પર ઘેરાઇ વળ્યો હોય, શાંતિ અને સંતોષનો અહેસાસ જિંદગીમાં દેખાતો ન હોય. જોશ-જુસ્સો છે, કામની તાલાવેલી છે પણ દિશા દેખાતી નથી. દુન્યવી પરોજણમાં પોતાના લક્ષ્યથી ભટકી જવાય છે, કઇંક કરવાની તમન્ન સાથે જિંદગીના પાસા ફેંકતા રહ્યા છીએ પણ જિંદગીની રમતમાં કોઇ ‘કૃષ્ણ’ દેખાતા નથી. જેના કહેણ પર દિલથી કહેવાઇ જાય ‘करिश्ये वचनम् तव’ । બસ, આવી અનુભૂતિ આત્મસાત્ કરવા આવો - અંકિત ત્રિવેદીનું પુસ્તક ‘કૃષ્ણપૂર્વક’ ખરીદી વાંચો - વંચાવો અને નવવર્ષની ભેટમાં સ્વજનો અને સ્નેહીજનોને ભેટ આપો....
The Leader Who Had No Title (Gu
Now in Gujarati, for more than fifteen years, Robin Sharma has been quietly sharing with Fortune 500 companies and many of the super-rich a success formula that has made him one of the most sought-after leadership advisers in the world. Now, for the first time, Sharma makes his proprietary process available to you, so that you can get to your absolute best while helping your organization break through to a dramatically new level of winning in these wildly uncertain times.
Sambandh to Aakash Paperback by
ગેબી ગીરનાર
ગેબી ગીરનાર (GEBI GIRNAR) Hardcover – 1 January 2010
Gebi Girnar by Anantrai Rawal is a book written in the Gujarati language, which speaks about the author's experiences with things that can be classified as unusual, miraculous and unbelievable. for example, Rawal mentions how he saw a yogi levitating nearly three feet off of the ground and how he was able to walk on water.
by Anantrai Raval (Author)
Adhiktam Ane Adhiktar Paperback
જો તમે એકનું એક કામ કરતા રહેશો, તો તમને એના એ જ પરિણામો મળશે. જે માર્ગ પર પ્રત્યેક ચાલે છે તે જ માર્ગ પર તમે ચાલશો, તો તમે માત્ર ત્યાં જ પહોંચશો જ્યાં પ્રત્યેક પહોંચે છે. પ્રગતિ માટે કશાકનો અંત આવવો જરૂરી હોય છે. પથ પ્રવર્તકો જ નવા માર્ગના શોધકો બને છે. સમૃદ્ધિ તમારો જન્મસિદ્ધ અધિકાર છે. તમે અધિકતમ અને અધિકતરને લાયક છો. અને તેનો માર્ગ છે. અધિકતમ અને અધિકતર એ જટિલ વસ્તુઓને સરળ રૂપમાં વિભાજિત કરવા વિષે છે જે દરેકને “અરે ! મેં તે કેમ ન વિચાર્યું !” એવું આશ્ચર્ય કરાવે છે. વાર્તાઓ સારી રીતે વર્ણવાયેલી છે અને મોટાભાગના લોકો તેમની સાથે જોડાણ અનુભવી શકે છે.
by Mahatria Ra (Author), Harshad Dave (Translator)