Dev-Danav Hardcover by Harkisha
આ દેવ દાનવ નવલકથાના પ્રારંભના પ્રકરણો વાંચી 'ચિત્રલેખા' ના કેટલા વાચકોએ 'આ પ્રવાસકથા બની રહી છે' એવી ટકોર કરી હતી, પરંતુ કથાનો નાયક ગાઈડ હોવાથી અને કથાવસ્તુને નેપાલના રાજકીય, સામાજિક તેમજ સાંસ્કૃતિક જીવન સાથે લેવાદેવા હોવાથી એ પૃષ્ઠભુમી અનિવાર્ય હતી. જોકે કથા જેમ જેમ વિકસતી ગઈ તેમ તેમ વાચકોને કથામાંડુંની કુવારી દેવી, પશુપતિનાથ મંદિર, કેસિની વગેરેના આલેખનની અનિવાર્યતા સમજાઈ હોવાના પડઘા એમના પત્રોમાં પડ્યા. અસંખ્ય વાચોકેએ આ નવલકથા. માણી અને બહુ જ વખાણી છે. તેનો મને સંતોષ છે