Sambhalo Chho Ke Shriman ? Hard
Athashree Paperback by Jignesh
શું કર્ણને પ્રથમ પાંડવ કહી શકાય? જો હા તો કયા તર્કને આધારે? સીતાજી રાવણ સાથે વાત કરતી વખતે હાથમાં તણખલું કેમ રાખતાં હતાં? રામાયણના કયા સંસ્કરણમાં સીતાજી મંદોદરીની દીકરી છે? રામાયણમાં ઉપયોગમાં લેવાયેલા શસ્ત્રોના વિવિધ પ્રકારો અને તેમના અર્થ શું છે? હિડિંબા ભીમ સાથે લગ્ન પછી ક્યારેય ઇન્દ્રપ્રસ્થ ગઈ હતી ખરી? રાવણના મૃત્યુ પછી શૂર્પણખાનું શું થયું? શ્રીરામે સુગ્રીવને બદલે વાલીની મદદ કેમ ન લીધી? રામાયણ અને મહાભારત બંનેમાં હોય એવા પાત્રો કેટલાં? મહાભારતના યુદ્ધ સાથે સંકળાયેલી બર્બરિકની કથા શું છે? ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રનો અર્થ શું? ગુજરાતીમાં લખાયેલા અને ભૂલાઈ ગયેલ રામાયણ કેટલાં? મહારાજ જનક રામાયણ કરતાં કેમ મહાભારતમાં વધારે ઉલ્લેખ પામે છે? આ અને આવા અનેક પ્રશ્નોના જવાબ જિજ્ઞેશ અધ્યારૂના આ પુસ્તકમાં વિગતે અપાયાં છે. રામાયણ, મહાભારત અને વેદ તથા પુરાણોની કથાઓમાંથી શોધીને આવા મોતી તેઓ પ્રસ્તુત કરે છે.
by Jignesh Adhyaru (Author)
Divasvapna Paperback by Gijubh
Aghor Nagara Vage Vol – 2
શ્રી મોહનલાલ અગ્રવાલનું મૂળ વતન ઉત્તર પ્રદેશનું મેરઠ ગામ, એમનું જન્મસ્થળ અને કાર્યક્ષેત્ર સુરેન્દ્રનગર. શ્રી અગ્રવાલ વિજ્ઞાનના સ્નાતક છે, સંગીત, લેખન, પ્રાચીન સંસ્કૃતિનાં સંશોધનો, હથિયારો તેમજ ઈતિહાસ અને આયુર્વેદ એમનો પ્રિય અને રસનો વિષય છે. એમણે ‘અઘોર નગારાં વાગે’ પુસ્તકમાં ભારતની સાધુશાહી સંસ્કૃતિનો તલસ્પર્શી ઉલ્લેખ કર્યો છે. હાલ તેઓ આયુર્વેદના તેમજ પ્રાચીન રસકલા, ધાતુવિદ્યાનાં સંશોધનો કરી રહ્યા છે અને એનો સંગ્રહ કરી જનહિતાર્થે પ્રગટ કરી રહ્યા છે.
by Mohanlal Agrawal (Author)
Sapnana Sodagar Paperback by R
‘સપનાનાં સોદાગરો’ એટલે એવા વીસ આદર્શવાદી વીરલાઓની જીવનગાથાઓ, કે જેમણે ઉદ્યોગસાહસિકતા અને સમાજસેવાને પરસ્પર વિરોધી તરીકે નહીં, પરંતુ એકમેકના પર્યાય તરીકે માનીને દેશના પાયાના પ્રશ્નોનું નિરાકરણ કરવાની કોશિશ કરી. મેનેજમેન્ટના નિયમો ફક્ત ‘પોથીમાંના રીંગણા’ નથી, તે સાબિત કરવાની કમર કસી છે. આ પુસ્તક વાંચનારને એક બાબત તો ચોક્કસ સમજાશે. પરિસ્થિતિમાં બદલાવ લાવવા માટે એકાદ અણ્ણા હજારે પણ પૂરતા છે અને એ વ્યક્તિ કદાચ તમે પણ હોઈ શકો!
by Rashmi Bansal (Author), Sonal Modi (Translator)