Pratyusha Paperback
હું પણ માનવી કરતાં પશુ-પક્ષીઓને વધુ સારાં માનું છું. પશુ-પક્ષીઓ ચોરી કરતાં નથી. બળાત્કાર કરતાં નથી. ખૂન કરતાં નથી. બેન્કો લૂંટતાં નથી. છેતરપિંડી કરતાં નથી. એ તો બિચારાં ભૂખ લાગે ત્યારે જ તેમના કુદરતી સ્વભાવ પ્રમાણે શિકાર કરે છે. પ્રાણીઓ આખા જગતના સત્યાનાશનો કદી વિચાર કરતાં નથી. માનવી સહુથી વધુ બુદ્ધિશાળી અને સૌથી જટિલ પ્રાણી છે. એણે એની બુદ્ધિનો સદુપયોગ અને દુરપયોગ પણ કર્યો છે. આઈન્સ્ટાઈને સાપેક્ષતાનો સિદ્ધાંત આપ્યો હતો બીજા માણસે એની થિયરી પરથી અણુબોમ્બ બનાવી દીધો. આ છે માનવી. અહીં પણ એવા જ માનવીની સૂક્ષ્મ કમજોરીઓની કે ખૂબીઓની કથાઓને ગ્રંથસ્થ કરવામાં આવી છે. આશા છે કે વાચકોને ગમશે.