You Can Heal Your Life Paperbac
‘જો તમે થોડી માનસિક કસરત કરવા તૈયાર હો તો ચોક્કસ માનજો કે ગમે તે દર્દ મટી શકે છે.’ લુઇસ એલ હે. આ ‘બેસ્ટલિંગ’ પુસ્તકે લાખો લોકોની જિંદગીને બદલી નાખી છે, એ પણ જાતે જ ખુદની દવા બનીને. આપણી તંદુરસ્તી અને સ્વસ્થતા ઉપર આપણું મન કેવી રીતે ધારદાર અસરો ઉપજાવી શકે છે તે વાત સુંદર રીતે જણાવતું આ પુસ્તક લોકોની આંખ ખોલી નાખવા માટે સારું સાધન છે. આ પ્રેરણાત્મક પુસ્તકના વિશ્વવિખ્યાત માર્ગદર્શક લુઇસ એલ. હે. આપણને મન અને શરીરના સંબંધને ખૂબ જ ઊંડાણથી સમજાવે છે. તેઓ આપણા શારીરિક રોગ અને અવસ્થાતાને તેના મૂળસ્ત્રોત તપાસીને આપણા વિચારો અને કલ્પનાઓ માટે બાધારૂપ બનતી વાતોને સરળતાપૂર્વક સમજાવી આપણને માર્ગ બતાવે છે. આ પુસ્તકમાં વિચારો અને આયોજનો છે જેણે જગતના લાખો લોકોની જિંદગીને બદલી નાખી છે. આ જાતે કરી શકાય તેવી માર્ગદર્શિકા તમારી જિંદગીને પણ મૂળથી બદલી નાખશે. આ પુસ્તકને હાથવગુ રાખજો જેથી તમને સમયે સમયે લાભ થાય અને એક નકલ બીમારીથી પીડાતા સ્વજનને ભેટ આપજો - તેઓ તમારું ઋણ નહિ ભૂલે.
by Louise L. Hay (Author), Aaditya Vasu (Translator)
Chahera Pachhalno Chahero Paper
આશકા માંડલ (A
'આશકા માંડલ' આ પુસ્તકમાં એક અનુભાની વાર્તાનું સર્જન કર્યું છે. રણદ્વીપમાં ઉગેલા સુરજમુખીની તાજગી, તેનો રુઆબ, તેની પ્રસન્નતા, શહેરમાં બનાવેલા ઉદ્યાનમાં ખીલેલા ફૂલથી કંઈક નોખી હોય છે. એવું જ કાંઈક આ રેગીસ્તાનના સ્ત્રીપુરુષોનું છે. મને પોતાને આશકા સાથે પ્રેમ છે. તેની કલ્પના માત્ર એક અકથ્ય સંવેદન જગાવે છે. મને આશા છે કે વાચકોને પણ એ અનુભૂતિ થશે. અહર્નિશ તપતા સુરજના ધીખતા ચંદરવા હેઠળ, સદીઓથી ધખતી ધરતી પર સર્જાતી એક લોહિયાળ પ્રસંગની આ ગાથા છે. આથમી ગયેલા વિક્ટોરિયન યુગને પડછાયે, વિસરાઈ ચુકેલા સન સતાવનના સમયનું નેપથ્ય આ વાર્તાનું આમુખ છે.
The Secret of the Nagas (Gujara
Garbhasamhita A Book on Pre-Nat
શ્રેષ્ઠ સંતાન પ્રાપ્ત કરવાનું રહસ્ય ગર્ભસંહિતા - અર્કેશ જોશી 'ગુજરાત સમાચાર' ની બુધવારની પૂર્તિ 'શતદલ' માં પ્રગટ થયેલ ગર્ભસંહિતા'ના લેખોની શ્રેણી ( ભાગ -૧ ) સુપ્રજનનશાસ્ત્ર જેવા સમગ્ર વિશ્વમાં વણખેડાયેલા વિષય વિશે આટલું ઊંડું અને વિસ્તૃત સંશોધન ક્યાંય થયું નથી . " બાળકને ગર્ભમાંથી શિક્ષણ મળે તો શ્રેષ્ઠ શિક્ષણ આપી શકાય " ગર્ભાવસ્થામાં બાળકને સંસ્કારનું પ્રદાન એ જીવનભરનું મૂડીરોકાણ છે વેદ અને આયુર્વેદમાં ઉત્તમ સંતતિ પ્રાપ્ત કરવાનાં પ્રયોગોને વર્તમાન સમયમાં પણ સાકાર કરવા દંપતિઓએ પ્રયત્ન કરવો જોઈએ . પોતાનાં સંતાન આદર્શ હોય તેવી મહેચ્છા પૂરી કરવા તેમણે આદરેલો યજ્ઞ સફળ થશે જ .
Raavan – Aaryavrtno Ari (
Now in Gujarati
અંધકાર વિના પ્રકાશનો ઉદ્દેશ્ય શું હોઈ શકે ? ભગવાનો પણ પ્રતિનાયકો વિના શું કરી શકે ? 3400 ઈસાપૂર્વ, ભારત. નિર્ધનતા અને અરાજક્તાથી પ્રક્ષુબ્ધ દેશ. મોટાભાગના લોકો ચૂપચાપ પીડાય. અમુક બળવો પણ કરે. કેટલાક ઉત્તમ જગત માટે લડી લે, તો કેટલાક પોતાના માટે. મોટાભાગના લોકો જોકે ઉદાસીન છે. રાવણ એ સમયના સૌથી જ્ઞાની ઋષિઓમાંના એકનું સંતાન, જે અત્યંત બુદ્ધિશાળી અને પ્રતિભાવાન છે. પરંતુ દુર્ભાગ્ય તેની આકરી પરીક્ષા લેતું જ રહે છે. કિશોરવસ્થામાં સફળ ચાંચિયો બનેલા રાવણમાં શૂરવીરતા, ક્રૂરતા અને દ્વઢ નિર્ધારના ગુણો છે. તેનો નિર્ધાર છે સૌથી શક્તિશાળી અને મહાન વિજેતા બનવાનો, કારણ કે એ તો અધિકાર છે. વિરોધાભાસી વ્યક્તિત્વવાળો રાવણ ઘાતકી અને હિંસક હોવાની સાથેસાથે જ્ઞાની અને બુદ્ધિશાળી પણ છે. એ કોઈ જ અપેક્ષા વિના પ્રેમ કરે છે અને પસ્તાવા વિના હત્યા પણ. ‘રામ ચંદ્ર શ્રેણી’ ના ત્રીજા પુસ્તકમાં લંકાના રાજા રાવણની અને તેના અંધારિયા મનના ઊંડાણની વાત છે. શું એ માનવજાતનો સૌથી મોટો પ્રતિનાયક છે કે પછી સદાય અંધારા ઊંડાણમાં ગર્ત એક સામાન્ય માનવી છે? માનવજાતના સૌથી સંકુલ, હિંસક, જોશીલા અને જ્ઞાનીપુરુષની કથા એટલે ’રાવણ - આર્યવર્તનો અરિ’.