Garbhsankar Hardcover by Suresh
‘માં, તું મારા માટે આટલુંય નહી કરે? !’ ‘માં! તારામાં આર્યાવર્તનું તેજ છે. અર્જુન, અભિમન્યુ, પ્રહલાદ, વિવેકાનંદ, સાવિત્રી જેવાં સંતાનોને જન્મ આપવો એ તારા માટે ચપટીનું કામ છે.’ સમગ્ર વિશ્વના તમામ વૈજ્ઞાનિકો, વિચારકો અને કલાકારો જે સર્જન ન કરી શકે, તે તું કરી શકે છે. માતૃત્વ એ તો તને જ મળેલ ઇશ્વરના મહાન આશીર્વાદ છે. શું તને દિવ્ય સંતાનનું સપનું નથી ? છેને ?..... પણ એ સપનું ત્યારે જ સાકાર થશે જ્યારે તને ગર્ભસંસ્કારનું જ્ઞાન હશે. માં, મારા માટે આટલું કરીશને ! – લિ. તને માતૃત્વ અર્પવા આતુર દિવ્ય આત્મા
Chamatkar (The Secret) Paperbac
Now in Gujarati
એક શબ્દમાં ચમત્કારની અમાપ શક્તિ છે. વીસ સદીથી વધારે સમયથી એક પવિત્ર ગ્રંથના શબ્દો પ્રત્યેક વાચકને મૂંઝવી નાંખનારા અને રહસ્યમયી લાગ્યા છે અને વાંચનારા લગભગ બધાએ તેના અર્થની ગેરસમજ કરી છે. માનવજાતના ઇતિહાસમાં બહુ ઓછા લોકોને એ સમજાયું છે કે એ શબ્દો એક ઉખાણા સમાન છે અને એ ઉખાણાને ઉકેલવવામાં આવે, તો તમારા માટે એક નવા જ જગતનાં દ્વાર ખૂલી જાય છે. ‘The Magic’ પુસ્તકમાં રોન્ડા બર્ન આ જીવન-પરિવર્તક જ્ઞાન દુનિયા સમક્ષ રજૂ કરે છે. પછી, 28 દિવસની એક મુસાફરીમાં, આ જ્ઞાન દૈનિક જીવનમાં કઇ રીતે ઉતારવું એ પણ શીખવે છે. તમે ગમે તે હો, ગમે ત્યાં હો અને તમારા વર્તમાન સંજોગો ગમે તેવા હોય, ‘The Magic’ પુસ્તક તમારું સમગ્ર જીવન બદલી શકે છે!
You Can Heal Your Life Paperbac
‘જો તમે થોડી માનસિક કસરત કરવા તૈયાર હો તો ચોક્કસ માનજો કે ગમે તે દર્દ મટી શકે છે.’ લુઇસ એલ હે. આ ‘બેસ્ટલિંગ’ પુસ્તકે લાખો લોકોની જિંદગીને બદલી નાખી છે, એ પણ જાતે જ ખુદની દવા બનીને. આપણી તંદુરસ્તી અને સ્વસ્થતા ઉપર આપણું મન કેવી રીતે ધારદાર અસરો ઉપજાવી શકે છે તે વાત સુંદર રીતે જણાવતું આ પુસ્તક લોકોની આંખ ખોલી નાખવા માટે સારું સાધન છે. આ પ્રેરણાત્મક પુસ્તકના વિશ્વવિખ્યાત માર્ગદર્શક લુઇસ એલ. હે. આપણને મન અને શરીરના સંબંધને ખૂબ જ ઊંડાણથી સમજાવે છે. તેઓ આપણા શારીરિક રોગ અને અવસ્થાતાને તેના મૂળસ્ત્રોત તપાસીને આપણા વિચારો અને કલ્પનાઓ માટે બાધારૂપ બનતી વાતોને સરળતાપૂર્વક સમજાવી આપણને માર્ગ બતાવે છે. આ પુસ્તકમાં વિચારો અને આયોજનો છે જેણે જગતના લાખો લોકોની જિંદગીને બદલી નાખી છે. આ જાતે કરી શકાય તેવી માર્ગદર્શિકા તમારી જિંદગીને પણ મૂળથી બદલી નાખશે. આ પુસ્તકને હાથવગુ રાખજો જેથી તમને સમયે સમયે લાભ થાય અને એક નકલ બીમારીથી પીડાતા સ્વજનને ભેટ આપજો - તેઓ તમારું ઋણ નહિ ભૂલે.
by Louise L. Hay (Author), Aaditya Vasu (Translator)
Karan Ghelo ( First Novel of Gu
Athashree Paperback by Jignesh
શું કર્ણને પ્રથમ પાંડવ કહી શકાય? જો હા તો કયા તર્કને આધારે? સીતાજી રાવણ સાથે વાત કરતી વખતે હાથમાં તણખલું કેમ રાખતાં હતાં? રામાયણના કયા સંસ્કરણમાં સીતાજી મંદોદરીની દીકરી છે? રામાયણમાં ઉપયોગમાં લેવાયેલા શસ્ત્રોના વિવિધ પ્રકારો અને તેમના અર્થ શું છે? હિડિંબા ભીમ સાથે લગ્ન પછી ક્યારેય ઇન્દ્રપ્રસ્થ ગઈ હતી ખરી? રાવણના મૃત્યુ પછી શૂર્પણખાનું શું થયું? શ્રીરામે સુગ્રીવને બદલે વાલીની મદદ કેમ ન લીધી? રામાયણ અને મહાભારત બંનેમાં હોય એવા પાત્રો કેટલાં? મહાભારતના યુદ્ધ સાથે સંકળાયેલી બર્બરિકની કથા શું છે? ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રનો અર્થ શું? ગુજરાતીમાં લખાયેલા અને ભૂલાઈ ગયેલ રામાયણ કેટલાં? મહારાજ જનક રામાયણ કરતાં કેમ મહાભારતમાં વધારે ઉલ્લેખ પામે છે? આ અને આવા અનેક પ્રશ્નોના જવાબ જિજ્ઞેશ અધ્યારૂના આ પુસ્તકમાં વિગતે અપાયાં છે. રામાયણ, મહાભારત અને વેદ તથા પુરાણોની કથાઓમાંથી શોધીને આવા મોતી તેઓ પ્રસ્તુત કરે છે.
by Jignesh Adhyaru (Author)