Sangit Ekbijanu Paperback
રાગ એકબીજાનો, સૂર એકબીજાનો, લય એકબીજાનો, સંગીત એકબીજાનું અને ધ્વનિ એકબીજાનો... એક સાથે પ્રગટ થયેલા પાંચ પુસ્તકોનો આ સેટ મારી કોલમમાં લખાતા રહેલા વિચારોનું સંકલન છે. આ પાંચ પુસ્તકો સાથે ‘એકબીજાને.....’ શ્રેણીના અઢાર પુસ્તકો પૂરા થયાં છે. આ પુસ્તકો મેં નથી લખ્યા, પણ લગભગ રોજ અઢીસો વાચકોના મેઈલ આવે છે. એમના જીવનની અંગત સમસ્યા એ પૂરા વિશ્વાસ સાથે દિલ ખોલીને મને લખે છે. અંગત સમસ્યોના હલ શોધવો એ મારી આવડત નથી. મારી પોતાની સમસ્યાઓના ઉકેલ પણ ક્યારેક હું શોધી શકતી નથી, એવું મારે પ્રામાણિકતાપૂર્વક સ્વીકારવું જોઈએ. એક સારો ર્ડાક્ટર પોતે પોતાની સર્જરી સારી રીતે કરી શકે નહીં, એ સ્વભાવિક જ છે ને ? મારી જાતને ર્ડાક્ટર નથી કહેતી, પરંતુ મારી આસપાસની દુનિયાને મેં બહુ નજીકથી જોઈએ છે, ઓળખી છે, સમજી અને સ્વીકારી છે. પીડાના ઘૂંટડા આંસુના ગ્લાસ સાથે ગળે ઉતારી દીધા છે...હું કોઈ સવાલોના જવાબ નથી શોધતી. સવાલો, પીડા, પ્રશ્નો અને અભાવ સાથે પણ સારી રીતે કેમ જીવી શકાય એનું જીપીએસ તૈયાર કરતી રહી છું, હું ! બસ, આ પુસ્તકો એવા જ એક જીપીએસનો હિસ્સો છે.
Mahetana Monghera Maheman Hardc
Pratyusha Paperback
હું પણ માનવી કરતાં પશુ-પક્ષીઓને વધુ સારાં માનું છું. પશુ-પક્ષીઓ ચોરી કરતાં નથી. બળાત્કાર કરતાં નથી. ખૂન કરતાં નથી. બેન્કો લૂંટતાં નથી. છેતરપિંડી કરતાં નથી. એ તો બિચારાં ભૂખ લાગે ત્યારે જ તેમના કુદરતી સ્વભાવ પ્રમાણે શિકાર કરે છે. પ્રાણીઓ આખા જગતના સત્યાનાશનો કદી વિચાર કરતાં નથી. માનવી સહુથી વધુ બુદ્ધિશાળી અને સૌથી જટિલ પ્રાણી છે. એણે એની બુદ્ધિનો સદુપયોગ અને દુરપયોગ પણ કર્યો છે. આઈન્સ્ટાઈને સાપેક્ષતાનો સિદ્ધાંત આપ્યો હતો બીજા માણસે એની થિયરી પરથી અણુબોમ્બ બનાવી દીધો. આ છે માનવી. અહીં પણ એવા જ માનવીની સૂક્ષ્મ કમજોરીઓની કે ખૂબીઓની કથાઓને ગ્રંથસ્થ કરવામાં આવી છે. આશા છે કે વાચકોને ગમશે.
Joonun
by Kamini Sanghvi (Author)
2015માં મારી પહેલી નવલકથા સેવન અવર્સ ‘ફૂલછાબ’ ટેનિકમાં પ્રકાશિત થઈ હતી. તે પછી બૂમરેંગ નવલ ધારાવાહિક રૂપે ‘ચિત્રલેખા’માં આવી જેણે મને અપાર લોકચાહના અપાવી. તે પછી આ ત્રીજી નવલકથા છે, જે ‘ગુજરાતમિત્ર’ની વિખ્યાત ‘સન્નારી’પૂર્તિમાં ધારાવાહિક રૂપે પ્રકાશિત થઈ છે. ત્રણ વર્ષમાં ત્રણ નવલકથા એને હું મારી મહેનત અને લગનનું પરિણામ માનું છું. મેં ધાર્યું હતું તેવી જ સફળતા મને નવલકથા લખવામાં મળી રહી છે તેનો આનંદ છે. વાચકોના રિસ્પોન્સને કારણે જ લખવાનું ગમે છે. તેથી વાચક છે તો હું લખું છું. માટે જાણ્યા અજાણ્યા સહુ વાચકોનો આભાર. નવલકથા લઈને ફરી જલદી મળીશું....