Ghar Taraf Paperback by Isha Ku
‘ઘર તરફ’ વાર્તાસંગ્રહમાં લગભગ 1960 અને 1970 ના દાયકામાં લખાયેલી વાર્તાઓ છે. વિવિધ સામયિકો, દિવાળી અંકો વગેરેમાં છપાયેલી અનેક વાર્તાઓ વેર-વિખેર પડી હતી. ભાઈ દીપક દોશીએ આ બધી વાર્તાઓ મિત્રભાવે કાળજીથી વાંચી, પ્રમાણિત કરી. પછીનું થોડુંક બાકી રહેલું કામ ભાઈ ફિરોઝ કેરાવાલાએ કર્યું. બંનેની ખૂબ આભારી છું. એકવાર કોઈએ પૂછેલું : ‘તમે વાર્તા શા માટે લખો છો ? ’ પ્રશ્ન રસપ્રદ હતો. શેક્સપિયરે નાટકો શું કામ લખ્યાં હશે ? કાલિદાસે મેઘદૂતની રચના શા માટે કરી હશે ? હરીન્દ્રભાઈ સાથે આ વિશે વાત થતી. એમનો ઉત્તર કંઈક એવો રહેતો કે લખું નહિ તો જીવી ન શકું.
Kadambari Maa Hardcover by (Dh
Dhondu ane Pandu Paperback u K
ઘોંડુ : આજે તું કૃષ્ણા બન્યો છે એટલે હોલબૂટ ન પહેર્યા હોત તો સારું હતું પાંડું : એ તો બધુ ચાલે. ભગવાન કંઈ વેજિટેબલ ઘી ન્હોતા ખાતા અને આજે એમને મંદિરમાં કે હવેલીઓમાં વેજિટેબલ ઘીની જ મીઠાઈ ઘરવામાં આવે છે. કૃષ્ણ ભગવાનના વખતમાં વીજળીની બત્તીઓ ન હતી. આજે તો દરેક મંદિરમાં છે. વખત જતાં માણસો-ભગવાનને કોટ-પાટલૂન પહેરાવીને ટેબલ-ખુરસી પર બેસાડે તો
Case Book of Mr Ray Paperback
Ansuna Toran Paperback ? 1
મૃદંગની દોરી ખેંચવાથી એનો રણકાર વધતો જાય છે એમ રેણુ મનને જેમ જેમ ખેંચતી ગઈ તેમ તેમ હૃદયમાંથી વધુ તીવ્ર રણકાર નીકળવા લાગ્યો અને એ ચીમનને મળવા માટે નીકળી પડી. એ પોતાની જાતને રોકી ન શકી. રમકડાની મોટરને આપણી ઊલટી બાજુ ચાવી દેવી પડે છે એમ રેણુ મનને ચાવી દેતી અને માનતી હતી કે પોતે મનને મજબૂત બનાવી રહી છે. પણ જેવી એ ઘરની બહાર નીકળી કે એ ચાવી દીધેલી રમકડાની મોટરની જેમ બહુ જ ઝડપથી આગળ વધવા લાગી. રેણુ જાણે પોતાનું અસ્તિત્વ ભૂલી ગઈ હોય એમ ઝડપથી ચીમન તરફ ખેંચાવા લાગી. ઘણા લોકો સાધુ-સંન્યાસી કે યોગીપુરુષો પાસે ચમત્કારની આશા રાખે છે. ચમત્કારમાં માને છે. પણ એમને ભાન નથી કે આ દુનિયામાં પ્રેમથી મહાન બીજો કોઈ ચમત્કાર નથી. લોખંડના ટુકડામાંથી સોનું બની જાય એ ચમત્કાર છે પણ લોખંડ જેવું કઠોર હૈયું પ્રેમને લીધે મલમલ જેવું મુલાયમ બની જાય એ એના કરતાં મહાન ચમત્કાર છે.
DIVYACHAKSHU (GUJARATI CLASSIC
Niyati Paperback
એક સ્ત્રી તેના જીવનમાં શું ઇચ્છતી હશે? ખાસ કરીને જ્યારે પણ એના લગ્નની વાત આવે ત્યારે એ શું વિચારતી હશે? એક એવો જીવનસાથી જે એને ફૂલની જેમ સાચવે કે પછી એવો જે એને પોતાને ફૂલની જેમ ખીલવા મોકળાશ આપે? એક એવો લાઈફ-પાર્ટનર જે એના સપનાનો રાજકુમાર હોય કે પછી એવો જે એના સપનાને સાચોસાચ એની દુનિયામાં લાવી એને હકીકતમાં ફેરવી નાખે? કોઈ એવી વ્યક્તિ વધારે જરૂરી છે જેની સાથે એ આખી જિંદગી ખુશીખુશી વિતાવવાનું પસંદ કરે કે કોઈ એવી વ્યક્તિ જેની સાથે વિતાવેલ એક પળ પણ એક યુગ જીવ્યા કરતાં વધારે વ્હાલી લાગે? આવા જ સવાલોના જવાબ શોધવાની ક્રિષ્નાની એક કોશિશ એટલે આ નવલકથા ‘નિયતિ’.
by Niyati Kapadiya (Author)