Krishnaayan Paperback by Kaajal
'કૃષ્ણાયન' આ પુસ્તક માં માણસ થઈને જીવેલા ઈશ્વરની વાત છે. એટલી અધભુત રીતે તેની વાતો ને કહી છે કે વાચી ને જાણે જીવત વાતો લાગે તેવી અનુભૂતિ થાય છે ને તેમાં કહે છે કે કૃષ્ણ નું જીવન તેની લીલા કેવી છે ને તેનો પ્રેમ કેવો છે ને કૃષ્ણ ના દરેક જીવન નું રૂપ કહ્યું છે. જે વાચી ને દરેક ના જીવન માં એક માર્ગદર્શન છે. એ ત્રણેય સ્ત્રીઓ,પ્રિયતમા પત્ની અને સખી કલકલ કરતા પ્રવાહ સાથે વહેતી વહેતી કૃષ્ણને કહી રાકી હતી, "અમારું સાર્થક્ય તો તમારામાં વિલીન થઈને જ બને છે....તમારી ખારાશ અમને સ્વીકાર્ય છે, કારણ કે તમે અમને વિશાળતા આપી છે. અમર્યાદ ફેલાતા રહેવાનો એ અસ્તિત્વબોધ તમે આપ્યો છે અમને.... અમર પ્રખર તેજને જીરવીને અમને શીતળતા આપી છે તમે.....અમારા સ્ત્રીત્વને સન્માનીને સ્નેહ આપ્યો છે તમે...." આ રીતે આપુસ્તક માં બહુ જ સુંદર રીતે આપ્યું છે.
Shraddha Ekbijani Paperback
Adhiktam Ane Adhiktar Paperback
જો તમે એકનું એક કામ કરતા રહેશો, તો તમને એના એ જ પરિણામો મળશે. જે માર્ગ પર પ્રત્યેક ચાલે છે તે જ માર્ગ પર તમે ચાલશો, તો તમે માત્ર ત્યાં જ પહોંચશો જ્યાં પ્રત્યેક પહોંચે છે. પ્રગતિ માટે કશાકનો અંત આવવો જરૂરી હોય છે. પથ પ્રવર્તકો જ નવા માર્ગના શોધકો બને છે. સમૃદ્ધિ તમારો જન્મસિદ્ધ અધિકાર છે. તમે અધિકતમ અને અધિકતરને લાયક છો. અને તેનો માર્ગ છે. અધિકતમ અને અધિકતર એ જટિલ વસ્તુઓને સરળ રૂપમાં વિભાજિત કરવા વિષે છે જે દરેકને “અરે ! મેં તે કેમ ન વિચાર્યું !” એવું આશ્ચર્ય કરાવે છે. વાર્તાઓ સારી રીતે વર્ણવાયેલી છે અને મોટાભાગના લોકો તેમની સાથે જોડાણ અનુભવી શકે છે.
by Mahatria Ra (Author), Harshad Dave (Translator)
Rich Dad Poor Dad Paperback
ધનવાન બનવા તમારી આવક વધારે જ હોવી જોઈ, એ માન્યતાનું ખંડન કરતું પુસ્તક, ભવિષ્ય માટે મિલકતો સર્જતા અને ખરીદતા શીખવતું પુસ્તક, તમારું ઘર એ તમારી મિલકત છે, એ માન્યતાને પડકારતું પુસ્તક, રૂપિયા વિશે એ બધું જ શીખવતું પુસ્તક જે શાળા-કોલેજોમાં ક્યારેય શીખવવામાં નથી આવતું, એ બધું જ જે ધનવાનો પોતાના સંતાનોને શીખવે છે, પરંતુ મધ્યમ વર્ગ કે ગરીબો જાણતા હોતા નથી.
Garbhsankar Hardcover by Suresh
‘માં, તું મારા માટે આટલુંય નહી કરે? !’ ‘માં! તારામાં આર્યાવર્તનું તેજ છે. અર્જુન, અભિમન્યુ, પ્રહલાદ, વિવેકાનંદ, સાવિત્રી જેવાં સંતાનોને જન્મ આપવો એ તારા માટે ચપટીનું કામ છે.’ સમગ્ર વિશ્વના તમામ વૈજ્ઞાનિકો, વિચારકો અને કલાકારો જે સર્જન ન કરી શકે, તે તું કરી શકે છે. માતૃત્વ એ તો તને જ મળેલ ઇશ્વરના મહાન આશીર્વાદ છે. શું તને દિવ્ય સંતાનનું સપનું નથી ? છેને ?..... પણ એ સપનું ત્યારે જ સાકાર થશે જ્યારે તને ગર્ભસંસ્કારનું જ્ઞાન હશે. માં, મારા માટે આટલું કરીશને ! – લિ. તને માતૃત્વ અર્પવા આતુર દિવ્ય આત્મા