Aghor Nagara Vage Vol – 2
શ્રી મોહનલાલ અગ્રવાલનું મૂળ વતન ઉત્તર પ્રદેશનું મેરઠ ગામ, એમનું જન્મસ્થળ અને કાર્યક્ષેત્ર સુરેન્દ્રનગર. શ્રી અગ્રવાલ વિજ્ઞાનના સ્નાતક છે, સંગીત, લેખન, પ્રાચીન સંસ્કૃતિનાં સંશોધનો, હથિયારો તેમજ ઈતિહાસ અને આયુર્વેદ એમનો પ્રિય અને રસનો વિષય છે. એમણે ‘અઘોર નગારાં વાગે’ પુસ્તકમાં ભારતની સાધુશાહી સંસ્કૃતિનો તલસ્પર્શી ઉલ્લેખ કર્યો છે. હાલ તેઓ આયુર્વેદના તેમજ પ્રાચીન રસકલા, ધાતુવિદ્યાનાં સંશોધનો કરી રહ્યા છે અને એનો સંગ્રહ કરી જનહિતાર્થે પ્રગટ કરી રહ્યા છે.
by Mohanlal Agrawal (Author)
Shahbuddin Rathodni Shreshth Ci
KRISHNAVTAR-2 : KHAND 3-4 by R
Karnani Aatmakatha Hardcover
કર્ણ એટલે કોણ? મહારથી....દાનેશ્વરી કે જન્મથી જીવનના અંતિમ તબક્કા સુધી તરછોડાયું એવું પાત્ર જે આજીવન પોતાના અસ્તિત્વની શોધમાં ભટકાય કરતું હતું. કર્ણ પાસે કૌવત હતું પણ કુળ નહોતું. કર્ણનો જન્મ માત્ર કુંતિની જિજ્ઞાસા અને બાલિશતાના પરિણામ સ્વરૂપે થયો હતો. મહાભારતને માત્ર કથા તરીકે જોઈએ તો જો કુંતિએ ઘેલછા રાખીને મંત્રપ્રયોગ ન કર્યો હોત તો દુનિયાને આવો વીર અને દાનેશ્વરી પુરુષ સાંપડ્યો જ ન હોત. સૂર્યનું તેજ અને ઓજસ લઈને જન્મલો કર્ણ પોતાની શક્તિઓને સિદ્ધ કરવા માગતો હતો પણ તે સારથિપુત્ર હતો. પાંડવો અને કૌરવોની વિદ્યાપૂર્તિ બાદ રખાયેલી કસોટીમાં કર્ણનો પ્રવેશ અને અર્જુનને હંફાવવો એ માત્ર સંકેત હતો કે અર્જુન કરતાં પણ મહાન પાત્રો આ વિશ્વમાં છે. પહેલાં એકલવ્ય હતો, જેને અર્જુનના ગુરુએ વામણો કરી નાખ્યો. જીવનની સંધ્યાએ પોતાના મિત્રના શત્રુઓની માતાના મુખે તેને સત્ય જામવા મળે છે કે કોઈ વિકલ્પ જ નહોતો. તે કુંતિને માત્ર એટલું જ કહે છે, તારા પાંચ પુત્રો કાયમ જીવતા રહેશે. કૃષ્ણ આ વાતનો મર્મ જાણતા હતા અને તેમણે અંતે કર્ણનો જ ભોગ લેવાય તેવી સ્થિતિનું નિર્માણ કર્યું હતું. કર્ણ દાનેશ્વરી હતો, દયાળુ હતો અને સારી બાબતોને સાથ આપનાર હતો છતાં તે ખોટા પક્ષે હતો. ધર્મયુદ્ધમાં તેનો પક્ષ તેના મૃત્યુનું કારણ બન્યો હતો..
by Manu Sharma (Author), Ekta Ravi Bhatt (Translator)