Dhondu ane Pandu Paperback u K
ઘોંડુ : આજે તું કૃષ્ણા બન્યો છે એટલે હોલબૂટ ન પહેર્યા હોત તો સારું હતું પાંડું : એ તો બધુ ચાલે. ભગવાન કંઈ વેજિટેબલ ઘી ન્હોતા ખાતા અને આજે એમને મંદિરમાં કે હવેલીઓમાં વેજિટેબલ ઘીની જ મીઠાઈ ઘરવામાં આવે છે. કૃષ્ણ ભગવાનના વખતમાં વીજળીની બત્તીઓ ન હતી. આજે તો દરેક મંદિરમાં છે. વખત જતાં માણસો-ભગવાનને કોટ-પાટલૂન પહેરાવીને ટેબલ-ખુરસી પર બેસાડે તો
Case Book of Mr Ray Paperback
Ansuna Toran Paperback ? 1
મૃદંગની દોરી ખેંચવાથી એનો રણકાર વધતો જાય છે એમ રેણુ મનને જેમ જેમ ખેંચતી ગઈ તેમ તેમ હૃદયમાંથી વધુ તીવ્ર રણકાર નીકળવા લાગ્યો અને એ ચીમનને મળવા માટે નીકળી પડી. એ પોતાની જાતને રોકી ન શકી. રમકડાની મોટરને આપણી ઊલટી બાજુ ચાવી દેવી પડે છે એમ રેણુ મનને ચાવી દેતી અને માનતી હતી કે પોતે મનને મજબૂત બનાવી રહી છે. પણ જેવી એ ઘરની બહાર નીકળી કે એ ચાવી દીધેલી રમકડાની મોટરની જેમ બહુ જ ઝડપથી આગળ વધવા લાગી. રેણુ જાણે પોતાનું અસ્તિત્વ ભૂલી ગઈ હોય એમ ઝડપથી ચીમન તરફ ખેંચાવા લાગી. ઘણા લોકો સાધુ-સંન્યાસી કે યોગીપુરુષો પાસે ચમત્કારની આશા રાખે છે. ચમત્કારમાં માને છે. પણ એમને ભાન નથી કે આ દુનિયામાં પ્રેમથી મહાન બીજો કોઈ ચમત્કાર નથી. લોખંડના ટુકડામાંથી સોનું બની જાય એ ચમત્કાર છે પણ લોખંડ જેવું કઠોર હૈયું પ્રેમને લીધે મલમલ જેવું મુલાયમ બની જાય એ એના કરતાં મહાન ચમત્કાર છે.
DIVYACHAKSHU (GUJARATI CLASSIC
Niyati Paperback
એક સ્ત્રી તેના જીવનમાં શું ઇચ્છતી હશે? ખાસ કરીને જ્યારે પણ એના લગ્નની વાત આવે ત્યારે એ શું વિચારતી હશે? એક એવો જીવનસાથી જે એને ફૂલની જેમ સાચવે કે પછી એવો જે એને પોતાને ફૂલની જેમ ખીલવા મોકળાશ આપે? એક એવો લાઈફ-પાર્ટનર જે એના સપનાનો રાજકુમાર હોય કે પછી એવો જે એના સપનાને સાચોસાચ એની દુનિયામાં લાવી એને હકીકતમાં ફેરવી નાખે? કોઈ એવી વ્યક્તિ વધારે જરૂરી છે જેની સાથે એ આખી જિંદગી ખુશીખુશી વિતાવવાનું પસંદ કરે કે કોઈ એવી વ્યક્તિ જેની સાથે વિતાવેલ એક પળ પણ એક યુગ જીવ્યા કરતાં વધારે વ્હાલી લાગે? આવા જ સવાલોના જવાબ શોધવાની ક્રિષ્નાની એક કોશિશ એટલે આ નવલકથા ‘નિયતિ’.
by Niyati Kapadiya (Author)
Java Daishun Tamne Hardcover by
અચાનક તેણે સાંભળ્યું : જાણે કોઈ દિલરુબા વગાડે છે. હા, આ તો એ જ પેલો જુવાન વગાડતો લાગે છે. અરે, એણે તો મારવાના સૂરો વગાડ્યા. મારવાનો તીવ્ર મધ્યમ તેના હૃદયને ઊંડેથી કોરવા લાગ્યો. તે ચૂપચાપ સાંભળી રહી. એ સૂરોમાં તેના મૃત્યુ પામેલા દિવસો ફરી જીવતા થઈ એક પછી એક સામે આવવા લાગ્યા. વરસાદમાં જેમ આકાશ-ક્ષિતિજનો ભેદ નહોતો રહ્યો તેમ સૂરના આ અણધાર્યા વરસાદમાં જીવન ને મૃત્યુનો, સ્મૃતિને વિસ્મૃતિનો, ભૂતકાળ ને વર્તમાનનો ભેદ ન રહ્યો. એક ઝરમરતા ઝાંઝરની જેમ બધું ઝંકારી રહ્યું.
Kamar Jahan Paperback by devend
અહીં પ્રગટ થયેલી સૌથી પહેલી કથા કમર જહાંની છે. કમર જહાંની જીવનયાત્રા રસપ્રદ છે. આ પુસ્તકમાં બીજી કેટલીક સામાજિક સત્ય ઘટનાઓ પણ છે. એમ અમદાવાદની આનલ નામની એક યુવતીની કથા પણ છે જેણે અમેરિકાથી આવેલો એક છોકરો પસંદ કર્યો, લગ્ન પણ કર્યા અને પરણીને અમેરિકા ગયેલો પતિ આનલને ભૂલી ગયો. તે પછી શરૂ થાય છે આનલના જીવનની સંઘર્ષકથા જે આપે આ પુસ્તકમાં વાંચવી જ રહી.