Krishnaayan Paperback by Kaajal
'કૃષ્ણાયન' આ પુસ્તક માં માણસ થઈને જીવેલા ઈશ્વરની વાત છે. એટલી અધભુત રીતે તેની વાતો ને કહી છે કે વાચી ને જાણે જીવત વાતો લાગે તેવી અનુભૂતિ થાય છે ને તેમાં કહે છે કે કૃષ્ણ નું જીવન તેની લીલા કેવી છે ને તેનો પ્રેમ કેવો છે ને કૃષ્ણ ના દરેક જીવન નું રૂપ કહ્યું છે. જે વાચી ને દરેક ના જીવન માં એક માર્ગદર્શન છે. એ ત્રણેય સ્ત્રીઓ,પ્રિયતમા પત્ની અને સખી કલકલ કરતા પ્રવાહ સાથે વહેતી વહેતી કૃષ્ણને કહી રાકી હતી, "અમારું સાર્થક્ય તો તમારામાં વિલીન થઈને જ બને છે....તમારી ખારાશ અમને સ્વીકાર્ય છે, કારણ કે તમે અમને વિશાળતા આપી છે. અમર્યાદ ફેલાતા રહેવાનો એ અસ્તિત્વબોધ તમે આપ્યો છે અમને.... અમર પ્રખર તેજને જીરવીને અમને શીતળતા આપી છે તમે.....અમારા સ્ત્રીત્વને સન્માનીને સ્નેહ આપ્યો છે તમે...." આ રીતે આપુસ્તક માં બહુ જ સુંદર રીતે આપ્યું છે.