Chahera Pachhalno Chahero Paper
આશકા માંડલ (A
'આશકા માંડલ' આ પુસ્તકમાં એક અનુભાની વાર્તાનું સર્જન કર્યું છે. રણદ્વીપમાં ઉગેલા સુરજમુખીની તાજગી, તેનો રુઆબ, તેની પ્રસન્નતા, શહેરમાં બનાવેલા ઉદ્યાનમાં ખીલેલા ફૂલથી કંઈક નોખી હોય છે. એવું જ કાંઈક આ રેગીસ્તાનના સ્ત્રીપુરુષોનું છે. મને પોતાને આશકા સાથે પ્રેમ છે. તેની કલ્પના માત્ર એક અકથ્ય સંવેદન જગાવે છે. મને આશા છે કે વાચકોને પણ એ અનુભૂતિ થશે. અહર્નિશ તપતા સુરજના ધીખતા ચંદરવા હેઠળ, સદીઓથી ધખતી ધરતી પર સર્જાતી એક લોહિયાળ પ્રસંગની આ ગાથા છે. આથમી ગયેલા વિક્ટોરિયન યુગને પડછાયે, વિસરાઈ ચુકેલા સન સતાવનના સમયનું નેપથ્ય આ વાર્તાનું આમુખ છે.
The Secret of the Nagas (Gujara
Garbhasamhita A Book on Pre-Nat
શ્રેષ્ઠ સંતાન પ્રાપ્ત કરવાનું રહસ્ય ગર્ભસંહિતા - અર્કેશ જોશી 'ગુજરાત સમાચાર' ની બુધવારની પૂર્તિ 'શતદલ' માં પ્રગટ થયેલ ગર્ભસંહિતા'ના લેખોની શ્રેણી ( ભાગ -૧ ) સુપ્રજનનશાસ્ત્ર જેવા સમગ્ર વિશ્વમાં વણખેડાયેલા વિષય વિશે આટલું ઊંડું અને વિસ્તૃત સંશોધન ક્યાંય થયું નથી . " બાળકને ગર્ભમાંથી શિક્ષણ મળે તો શ્રેષ્ઠ શિક્ષણ આપી શકાય " ગર્ભાવસ્થામાં બાળકને સંસ્કારનું પ્રદાન એ જીવનભરનું મૂડીરોકાણ છે વેદ અને આયુર્વેદમાં ઉત્તમ સંતતિ પ્રાપ્ત કરવાનાં પ્રયોગોને વર્તમાન સમયમાં પણ સાકાર કરવા દંપતિઓએ પ્રયત્ન કરવો જોઈએ . પોતાનાં સંતાન આદર્શ હોય તેવી મહેચ્છા પૂરી કરવા તેમણે આદરેલો યજ્ઞ સફળ થશે જ .
Raavan – Aaryavrtno Ari (
Now in Gujarati
અંધકાર વિના પ્રકાશનો ઉદ્દેશ્ય શું હોઈ શકે ? ભગવાનો પણ પ્રતિનાયકો વિના શું કરી શકે ? 3400 ઈસાપૂર્વ, ભારત. નિર્ધનતા અને અરાજક્તાથી પ્રક્ષુબ્ધ દેશ. મોટાભાગના લોકો ચૂપચાપ પીડાય. અમુક બળવો પણ કરે. કેટલાક ઉત્તમ જગત માટે લડી લે, તો કેટલાક પોતાના માટે. મોટાભાગના લોકો જોકે ઉદાસીન છે. રાવણ એ સમયના સૌથી જ્ઞાની ઋષિઓમાંના એકનું સંતાન, જે અત્યંત બુદ્ધિશાળી અને પ્રતિભાવાન છે. પરંતુ દુર્ભાગ્ય તેની આકરી પરીક્ષા લેતું જ રહે છે. કિશોરવસ્થામાં સફળ ચાંચિયો બનેલા રાવણમાં શૂરવીરતા, ક્રૂરતા અને દ્વઢ નિર્ધારના ગુણો છે. તેનો નિર્ધાર છે સૌથી શક્તિશાળી અને મહાન વિજેતા બનવાનો, કારણ કે એ તો અધિકાર છે. વિરોધાભાસી વ્યક્તિત્વવાળો રાવણ ઘાતકી અને હિંસક હોવાની સાથેસાથે જ્ઞાની અને બુદ્ધિશાળી પણ છે. એ કોઈ જ અપેક્ષા વિના પ્રેમ કરે છે અને પસ્તાવા વિના હત્યા પણ. ‘રામ ચંદ્ર શ્રેણી’ ના ત્રીજા પુસ્તકમાં લંકાના રાજા રાવણની અને તેના અંધારિયા મનના ઊંડાણની વાત છે. શું એ માનવજાતનો સૌથી મોટો પ્રતિનાયક છે કે પછી સદાય અંધારા ઊંડાણમાં ગર્ત એક સામાન્ય માનવી છે? માનવજાતના સૌથી સંકુલ, હિંસક, જોશીલા અને જ્ઞાનીપુરુષની કથા એટલે ’રાવણ - આર્યવર્તનો અરિ’.
Aganpankh Paperback by A.P.J.Ab
Now in Gujarati
Aganapankha [biography] .... translate translator autobiography Wings of Fire kalamani Dholakiya Dr. Haresh, actually Truth is not a personal achievement, but also the science of the history of space science entitled roketa ankhe Prof. Dr. Kalam is reported nightmares .Record Sarabhai and his fellow scientists Why his His story raises is why does the first to difficulty partner the story moves forward chhe --tene Indian Space Today
Ram – Ikshvakuna Vanshaj
Now in Gujarati
રામરાજ્ય. આદર્શ ભૂમિ. પરંતુ પરિપૂર્ણતાની કિંમત ચૂકવવી પડે છે. તેમણે એ કિંમત ચૂકવી છે. 3400 ઈસાપૂર્વ, ભારત. અયોધ્યા વિભાજનોથી નબળું પડી ગયું છે. એક ભયંકર યુદ્ધથી કિંમત તે ચૂકવી રહ્યું છે. નુકસાન બહુ મોટું થયું છે. લંકાના રાક્ષસ રાજા રાવણ પરાજિતો પર પોતાનુ સામ્રાજ્ય નથી સ્થાપતા. તેના બદલે તે ત્યાં પોતાનો વેપાર સ્થાપી દે છે. આખા સામ્રાજ્યમાંથી ધન ચૂસી લેવામાં આવે છે. સપ્તસિંધુની પ્રજા ગરીબી, હતાશા ને દુરાચરણમાં ગરકાવ થઈ ગઈ છે. તે પ્રજા એક એવા નાયક માટે વલખે છે કે જે તેમને આ કળણમાંથી બહાર કાઢે. તેમને ક્યાં જાણ છે કે એવો એક નાયક તેમની વચ્ચે જ રહેલો છે જેને તે બધા લોકો જાણે છે. એક સંતપ્ત અને દેશનિકાલ પામેલો રાજકુમાર. એવો રાજકુમાર જેનો તેમણે વિરોધ કર્યો હતો. એ રાજુકુમાર કે જેનું નામ હતું રામ. દેશવાસીઓએ તેમને સતપ્ત કર્યા હોવા છતાં તેઓ પોતના દશને ચાહે છે. ન્યાય માટે તેઓ એકલા જ લડતા રહે છે. અંધકારની અંધાધૂંધી સામે, પોતાના ભાઈઓ અને પત્ની સીતાના સથવારે, તેઓ લડતા રહે છે. શું લોકોએ તેમના પર લગાવેલા લાંછનને રામ દૂર કરી શકશે? શું સીતા માટેના તેમના પ્રેમને કારણે તે આ સંઘર્ષમાંથી પાર ઊતરશે? શું પોતાના બાળપણને બગાડનારા રાક્ષસ રાજા રાવણને તેઓ પરાજિત કરી શકશે? શું વિષ્ણુની નિયતિને તેઓ પૂર્ણ કરશે? અમીશ સાથે આ નવી મહામુસાફરીનો પ્રારંભ કરો ‘રામ ચંદ્ર શ્રેણીમાં..