Reindeers Paperback by Anil Cha
દરેક માણસ સ્કૂલ તથા હૉસ્ટેલ-લાઇફમાં જેટલું એન્જોય કરે છે, તેટલું પછી ક્યારેય નથી કરી શકતો. આ દિવસોમાં નિર્દોષતા ને નિખાલસતા છે, તો પારાવાર મૂર્ખતા પણ છે. પેટમાં આંટીઓ પડી જાય એવું હાસ્ય છે, તો આંખમાંથી બારે મેઘ ખાંગા થાય એવું રુદન પણ છે. ડહાપણ છે, દોઢડહાપણ પણ છે. ઝઘડો છે, સમાધાન પણ છે; ગંભીરતા છે, ચંચળતા પણ છે; પ્રેમ છે, નફરત પણ છે; આનંદ છે, ઉદાસી પણ છે; ટીખળ છે, ઈર્ષા પણ છે. રોમાંચ છે અને રોમાન્સ પણ છે! આ જ સમયમાં મિત્રતાની મજબૂત ગાંઠ બંધાય છે. પ્રેમના પુષ્પની સુગંધ પણ આ જ સમયમાં અનુભવાવાની શરૂ થાય છે. આ તમામ પ્રસંગોની મીઠી મહેક જિંદગીભર હૃદયની હાર્ડ ડિસ્કમાં સેવ રહે છે. આ પુસ્તકમાં એવી અનેક ઘટનાઓ છે, જે વાંચીને તમે પણ સ્કૂલનાં ફૂલ થઈને ભૂતકાળના બગીચામાં પહોંચી જશો. આ નવલકથાનું શીર્ષક ‘રેન્ડિયર્સ’ શા માટે? એનો ખુલાસો અંતમાં અત્યંત રસપ્રદ રીતે કરવામાં આવ્યો છે. એના માટે આ નવલકથા વાંચવી જ રહી. આ પુસ્તક એવા તમામ બારકસ-મિત્રોને હકપૂર્વક ભેટમાં આપવું જોઈએ, જેમની સાથે રહીને સ્કૂલ કે હૉસ્ટેલમાં ટોળટીખળ અને તોફાનો કર્યાં છે. આ માત્ર એક પુસ્તક નથી, સ્કૂલમાં જિવાયેલા દિવસોનો જીવંત દસ્તાવેજ છે. આના દ્વારા તમે તમારા મિત્રોને વીતેલા દિવસોની આખી દુનિયા ભેટમાં આપી શકશો.
by Anil Chavda (Author)
Black Mail Paperback by Raj Bh
Savlo Sansar Avalo Saar Hardcover – 1 January 2007
રાજ ભાસ્કરે ક્રાઈમ સ્ટોરીઝને નવો ઘાટ આપી ફરી વાર પોપ્યુલર કરવામાં યોગદાન આપ્યું છે. એમાં ય વળી આ કૃતિ ‘બ્લેક-mail’ તો ‘સાધના’ના ડિજિટલ અવતારમાં રોજેરોજ ઓનલાઈન વાચકો માટે લખાયેલી ! રાજ ભાસ્કરે આપણી જ આસપાસ બનતી ઘટનાઓમાંથી ‘બ્લેક-mail’નું પોત વણ્યું છે. જરાય ઉપદેશકની કંટાળાજનક ભૂમિકા ભજવ્યા વિના પણ યુવાહવાને સંદેશ આપ્યો છે ડિજિટલયુગમાં સાવધ રહેવાનો. રેગિંગથી ચેટિંગ સુધીનાં ભયસ્થાનો એણે લાલબત્તી ધરીને મિત્રભાવે દેખાડ્યાં છે. પણ પાત્રલેખન અને કથાપ્રવાહના ભોગે લાંબા ભાષણો જેવી ફિલસૂફીથી નહીં. પળે પળે રોમાંચ અને ઉત્સુક્તા જગાડતી-ઘટનાઓના નિરૂપણથી. ફ્રેન્કલી સ્પીકિંગ, પ્રસ્તાવના લખવા માટે મે ઉપરથી ‘બ્લેક-mail’ વાંચવાની ચાલુ કરી, પણ રાજ ભાસ્કરની લસરક દઈને ગળે ઊતરે એવી ભાષા અને સડસડાટ પ્રકરણ વંચાય તેવી રજૂઆત. એટલે એકીબેઠકે આખી વાંચી ગયો. વળી ‘બ્લેક-mail’ની ભાષા એકદમ મને ગમે છે એવી ‘યૂથફુલ’ છે. દરેક પાત્રનો જે તે સમયનો વિઝ્યુઅલ સ્ક્રેચ બારીકાઈથી રજૂ થયો છે. સાથોસાથ જ જમેન્ટલ થયા વિના યુવાહૈયાંઓની મોડર્ન લાઈફસ્ટાઈલ અને ફીલિંગ્સ પણ ઉપસાવે છે. પણ સૌથી વધુ ગમી ગઈ એની પરત-દર-પરત ખૂલતી જતી સસ્પેન્સની ટ્રિક ! એમ લાગે કે વાત પૂરી થઈ ત્યાં નેચરલી જ રહસ્યનો નવો ફણગો ફૂટે ! અને છેક સુધી કળી ન શકો એવી રીતે ‘હુ ડન ઈટ’નું ‘રાઝ’ જાળવી રાખવામાં લેખક રાજ ભાસ્કર પૂરા સફળ થયા છે. ફિલ્મની સ્ક્રિપ્ટની જેમ લખાયેલી આ કથા પર વેબસિરિઝ બની શકે તેમ છે !.
by Raj Bhaskar (Author)
Silicone Non-Sticky Spatula
Silicone Nonstick Heat Resistant Spatula & Oil Brush
Size - 24x5.5x1
Weight - 55gm
Silicone spatula and pastry brush set is suitable for baking, cooking and roasting mixing food, spreading cream or icing on cakes
Made from silicone material, no-stick, reusable, dishwasher safe
Use in any pan on the stove top, in the oven, microwave or freezer
Colour: multi
Material: silicone
Package contents - 1 set x oil brush
Superhero Sardar Paperback by J
સરદાર, સિર્ફ નામ હી કાફી હૈ..... સરદાર વલ્લભભાઈ પટેલનું નામ અને કામ ગુજરાત માટે અજાણ્યું નથી, અને ભારત રાષ્ટ્ર તો આજીવન એમનું ઋણી છે. એમણે રજવાડાનું એકીકરણ કરવાનો ભગીરથ પડકાર ઉપાડ્યો. એમણે દેશને એક સંવિધાન મળે એ માટે પ્રયોસો શરૂ કર્યા અને વહીવટીતંત્રની કરોડરજ્જૂ જેવી સ્વદેશી સિવિલ સર્વિસ બનાવી. આશિષ્ઠ, દ્રઢિષ્ઠ, બલિષ્ઠ ના યુવા લક્ષણો સરદારસાહેબમાં હતા. Hopefull, Firm, Strong ત્વરિત નિર્ણયશક્તિ અને કડવો પણ ગુણકારી લીમડાં જેવો સ્પષ્ટ વાસ્તવવાદ. સરદારસાહેબ તો ગયા, પણ આપણે નવા સરદાર પેદા કેવી રીતે કરીશું ? કેમ ઘડાય સરદાર જેવું અસરદાર અને જોરદાર વ્યક્તિત્વ ? લોકપ્રિય લેખક-વક્તા જય વસાવડાએ સરદારસાહેબ પરના અઢળક સંદર્ભસાહિત્ય અને રઝળપાટ પછી નવી પેઢીને ગમે તેવી રજુઆત સાથે સરદારસાહેબના જીવનમાંથી પોઝિટિવ પ્રેરણા અને માર્ગદર્શન મળે એવું રસપ્રદ અને અમુક અજાણ્યા પ્રસંગોથી ભરપુર એવું અન્યોથી અલગ અનોખું પુસ્તક તૈયાર કર્યું છે. એમાં કેટલીક દુર્લભ તસ્વીરો અને સરદારસાહેબના પત્રો-ભાષણો વગેરેમાંથી આપણી આજની સમસ્યાઓનો ઉકેલ બતાવતા અવતરણો પણ મુક્યા છે. ચાલો, આ વાંચી ઇતિહાસ ઓળખીને આપણું ભવિષ્ય બનાવીએ. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’થી વિશ્વવિખ્યાત થઈ રહેલ ‘મેન ઓફ એક્શન’ સરદાર પટેલની આધુનિક ઓળખ કેળવીએ. આજે સરદારશ્રીના લોંગટર્મ વિઝનને સમજવાની તાતી જરૂર છે. માર્વેલ કોમિક્સના ‘આયર્ન મેન’ ના ફેન વધતા હોય ત્યારે આપણા અસલી માર્વેલસ આયર્નમેન (લોખંડી પુરુષ)ને તો સમજીએ !
by Jay Vasavada (Author)
Pruthvivallabh (G) Hardcover by
Shakti (The Secret) Paperback
તમે અદભુત જિંદગી જીવવા સર્જાયા છો. આ પુસ્તકમાં મેં જીવનને અદભુત બનાવવા માટે મદદરૂપ થાય તેવી જાણકારીનો ખજાનો ખોલ્યો છે. તમારું જીવન સુખમય હોય તો તેને વધુ અપૂર્વ અને અસારધારણ બનાવવાની રીત દર્શાવી છે. તમે ધારો છો તે કરતાં જીવન ઘણું વધારે સરળ છે. જેમ જેમ તમારી જીવનની સમજણ વધતી જશે અને તમારી ભીતરની શક્તિનો તમને અહેસાસ થશે. જીવનનો જાદુ સંપૂર્ણપણે તમારી સમક્ષ પ્રગટ થશે, અને તે પછી તમારી જિંદગી અદભુત થઈ જશે. જીવનનો જાદુ ભલે શરૂ થાય.
by Rhonda Byrne (Author), Sonal Modi (Editor), Kanti Patel (Translator)
Questions Are the Answers Paper
Pila Rumalni Ganth – 1,2,
આ 'પીળા રૂમાલની ગાંઠ' ની જે વરતા શરૂ થાય છે તેનો નાયક કર્નલ સલીમન નહી. પણ અમીરઅલી ઠગ છે. સેકડો હત્યા કરનાર આ ઠગ સરદારની જીવનકથા માં કાળજા થીજાવી દે એવી ભયાનક, આખો ભીજવી દે એવી કરુણ અને દિલ-દિમાગ ને જકડી રાખે એવી રોમાંચક નવલકથા છે. આ નવલકથા સત્યઘટનાને આધારે અને કલ્પનાના રંગે રંગાયેલી નવલકથા લખવાનો આ પ્રયાસ છે.
Jog – Sanjog Hardcover by
Hu Krishna Chu – The Comp
‘હું કૃષ્ણ છું’ - કૃષ્ણની સંપૂર્ણ આત્મકથા - 6 પુસ્તકોનો આ કમ્પ્લીટ સેટ, જે વિશ્ર્વનું એવું પ્રથમ પુસ્તક છે, જેમાં કૃષ્ણનાં સંપૂર્ણ જીવનનો ક્રમબદ્ધ ઉલ્લેખ કર્યો છે. જેને બેસ્ટસેલર્સ ‘હું મન છું’ અને ‘101 સદાબહાર વાર્તાઓ’નાં લેખક તથા સ્પીરિચ્યુઅલ સાયકો-ડાયનેમિક્સના પાયોનિયર દીપ ત્રિવેદીએ લખેલ છે, એટલે એમણે જરૂરી જગ્યાઓ પર કૃષ્ણની સાયકોલોજી ઉપરથી પડદા પણ ઉઠાવ્યા છે, કે કૃષ્ણએ જે કર્યું તે કેમ કર્યું. આત્મકથાનાં સ્વરૂપમાં લખેલ ‘હું કૃષ્ણ છું’ વાંચી લીધા પછી વાચકોને એ ખ્યાલ આવે છે કે કૃષ્ણએ કેવી રીતે પોતાનાં કર્મોનાં બળે જીવનનાં દરેક સંઘર્ષ પર વિજય મેળવ્યો અને એ ઊંચાઈ પર જઈ બેઠા જેવા એમને આપણે જાણીએ છીએ.
‘હું કૃષ્ણ છું’ ના પ્રથમ ત્રણ ભાગ અંગ્રેજી ભાષામાં પણ ઉપલબ્ધ છે તથા તેના પ્રથમ ભાગને વર્ષ 2018 ના Crossword Book Awards ની ‘Best Popular Non-Fiction’ કેટેગરી માટે નામાંકિત પણ કરવામાં આવ્યો છે.
‘હું કૃષ્ણ છું’ની આ સમગ્ર શ્રેણીને વાંચી લીધા પછી કૃષ્ણ સાથે સંકળાયેલા અનેક મહત્ત્વપૂર્ણ પ્રશ્ર્નોના જવાબ આપોઆપ મળી જાય છે જેવાં કે: કૃષ્ણ અને રાધાનો પ્રેમ શું હતો? કૃષ્ણએ કેટલાં લગ્ન કર્યા હતાં? કૃષ્ણએ દ્વારકા કેમ અને કેવી રીતે વસાવી હતી? કૃષ્ણએ મહાભારતનાં યુદ્ધ વખતે કેમ પાંડવોને જ સાથ આપ્યો હતો? આ યાદવાસ્થળી શું છે? ચોક્કસપણે ‘હું કૃષ્ણ છું’ વાંચતા-વાંચતા વાચક ક્યારે જીવનનાં ઊંડાણ અને મનની ઊંચાઈઓની વચ્ચે ડુબકીઓ લગાવવાનું શરૂ કરી દેશે, તેની એને ખબર જ નહીં પડે. આ પુસ્તક અનેક પૌરાણિક ગ્રંથોમાંથી ગહન અધ્યયન પછી લખ્યું છે. જે ગ્રંથોમાં પ્રમુખ છે:
મહાભારત, ઐતરેય આરણ્યક, નિરુક્ત, ગર્ગ સંહિતા, ઈંડિકા, હરિવંશ પુરાણ, વિષ્ણુ પુરાણ, પદ્મ પુરાણ, માર્કંડેય પુરાણ, ભાગવત પુરાણ…
‘હું કૃષ્ણ છું’, આ 6 ભાગોના આ પુસ્તકોનો કમ્પ્લીટ સેટ હિન્દીમાં પણ ઉપલબ્ધ છે.